ગુજરાતમાં વધુ 3 લોકોનું હાર્ટ એટેકથી મોત… સુરેન્દ્રનગરમાં બે લોકોએ અને સાબરકાંઠામાં એક યુવક પોતાનો જીવ ગુમાવ્યો…

ગુજરાત રાજ્યમાં સતત હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. જેના કારણે ગુજરાતની જનતા હવે ચિંતામાં મુકાઈ ગઈ છે. તેવામાં સુરેન્દ્રનગરમાં બનેલી બે હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક યુવક અને એક મહિલાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામમાં 40 વર્ષની મહિલાનું હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ નિધન થયું છે. જ્યારે લીબડીના પાણસીણા ગામમાં 33 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. બંને ઘટનામાં બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને અહીં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંનેનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

મહિલાનું મોત થતા જ તેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે યુવકના મોતના સમાચાર મળતા તેના પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આવી જ એક ઘટના સાબરકાંઠામાં બની હતી.

સાબરકાંઠાના તલોદમાં એક ખેડૂતનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. ખેડૂતના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયું હતું. ખેડૂત ખેતરમાં ટિફિન આપવા માટે ગયા હતા. આ દરમિયાન તેમનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*