માટેલ ગામ ખોડીયાર માતાજીના મંદિરે પૂનમ ભરવા જતા બે મિત્રોને અકસ્માત નડ્યો, બંનેના ઘટના સ્થળે મૃત્યુ…પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…

Published on: 10:44 am, Sun, 11 September 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મોરબીના ટીબડી પાટીયા નજીક બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં અજાણ્યા વાહન ચાલકે બાઈક પર સવાર બે મિત્રોને જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણોસર બાઈક પર સવાર બંને મિત્રોના મૃત્યુ નીપજ્યા હતા.

બંને મિત્રો કચ્છના સામખીયાળીથી મોરબીના માટેલ ગામ ખોડીયાર માતાજીના મંદિરે પૂનમ ભરવા માટે જતા હતા. આ દરમિયાન રસ્તામાં બંનેને અકસ્માત નડ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ મૃતકના ભાઈ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો કચ્છના સામખીયાળીના મહેસાણા નગરમાં રહેતા કરસનભાઈ રાવલે નામના યુવકે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રે 10:00 વાગ્યાની આસપાસ તેમના મોટાભાઈ ઈશ્વરભાઈ તથા તેમની સાથે ઇલેક્ટ્રોનિક નું કામ કરતાં તેમના મિત્ર અમરશીભાઈ રણછોડભાઈ બંને GJ 12 AJ 6080 નંબરની HERO HONDA બાઇક લઈને મોરબીના માટેલ ગામે આવેલા ખોડીયાર માતાજીના મંદિરે પૂનમ ભરવા માટે ગયા હતા.

જ્યારે ઈશ્વરભાઈ અને તેમના મિત્ર અમરશીભાઈ બાઈક પર સવાર થઈને મોરબી હાઇવે પર ટીમડી પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને તેમની બાઈકને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઈશ્વરભાઈના માથાના ભાગે અને અમરસશીભાઈના પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

આ કારણોસર ઈશ્વરભાઈ અને અમરશીભાઈનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઘટના બનતા જ મૃતકના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માટેલ ગામ ખોડીયાર માતાજીના મંદિરે પૂનમ ભરવા જતા બે મિત્રોને અકસ્માત નડ્યો, બંનેના ઘટના સ્થળે મૃત્યુ…પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*