વીજ કરંટ લાગવાના કારણે 7 વર્ષના બાળકનું કરુણ મૃત્યુ, માતા દીકરાના મૃતદેહને ખોળામાં લઈને રડી પડી, રડતા રડતા માતાએ કહ્યા એવા શબ્દો કે, તમે પણ રડી પડશો…

Published on: 11:06 am, Thu, 8 September 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં વીજ કરંટ લાગવાના કારણે 7 વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું છે. બાળકનું મૃત્યુ થતા જ સમગ્ર વિસ્તારમાં મહત્તમ છવાઈ ગયું હતું. દીકરાનું મૃતદેહ જોઇને માતા ચોધાર આંસુએ રડી પડી હતી. મૃત્યુ પામેલા 7 વર્ષના બાળકનું નામ મોહિત હતું. માતા રડતી રડતી કહેતી હતી કે, હું મારા મોહિતને જોવા નહીં દઉં. માતા રડતી રડતી બોલતી હતી, હું જ્યારે તેને ખીજાતી હતી ત્યારે તરત માની જતો. ઉઠી જા મારા લાલા…હું જીવીને શું કરીશ… તારા માટે હું ઘણા બધા રમકડા લાવી છું, હવે એનું શું કરીશ…

મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારના રોજ બની હતી. મંગળવારના રોજ મોહિત ગણેશ પંડાલમાં થતો હતો આ દરમિયાન તેને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. બુધવારના રોજ મોહિત ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો હાજર થયા હતા અને દીકરાની માતાનું દુઃખ જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. આ ઘટના ભોપાલના નેહરુ નગરમાં બની હતી. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ રાત્રે મોહિત બોર્ડ 29 ના દિવસે માં આવેલા ગણેશ પંડાલમાં જઈ રહ્યું હતું.

આ દરમિયાન પાર્કના મુખ્ય ગેટ પરના ઇલેક્ટ્રીક પોલમાં કરંટ હતો. જેના કારણે અર્થિંગ વાયરમાં પણ કરંટ ફેલાઈ ગયો હતો. આ દરમિયાન ભૂલ માંથી મોહિત અર્થીંગ વાયરને અડી જાય છે અને તેને જોરદાર કરંટ લાગે છે. જેના કારણે મોહિતનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ પામેલો મોહિત માતા-પિતાનો એકમાત્ર દીકરો હતો.

આ ઘટના બનતા જ રાત્રિના સમયે ભારે ઓબાળો મૂકી ગયો હતો. લોકોનું કહેવું છે કે વીજ કંપનીની બેદરકારીને કારણે મોહિતનો જીવ ગયો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મોહિતના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને બુધવારના રોજ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને મોહિતના માતા-પિતા ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. માતાએ દીકરાના મૃતદેહને બાથ ભરીને રડી પડી હતી. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વીજ કરંટ લાગવાના કારણે 7 વર્ષના બાળકનું કરુણ મૃત્યુ, માતા દીકરાના મૃતદેહને ખોળામાં લઈને રડી પડી, રડતા રડતા માતાએ કહ્યા એવા શબ્દો કે, તમે પણ રડી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*