બે સગા ભાઈઓ સહિત અકસ્માતમાં ત્રણ યુવાનોના મૃત્યુ : ST બસ અને બાઈક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત…

Published on: 3:15 pm, Mon, 24 January 22

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હિરપરા ગામ પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહી ST બસ અને બાઈક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ યુવાનોના મૃત્યુ થયા હતા.

અકસ્માતની જાણ પરિવારજનોને તથા પરિવારના સભ્યોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયામાં રહેતા બે સગા ભાઈઓ અજય લાલસિંહ ખરાડી (ઉંમર 20 વર્ષ), જયદીપ લાલસિંગ ખરાડી (ઉંમર 27 વર્ષ ) અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી(ઉંમર 25 વર્ષ) તેઓ ઘરેથી ગઈકાલે હીરાપુર ગામ તરફ જવા નીકળ્યા હતા.

ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી એક ST બસ અને બાઈક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ યુવકોનાં ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા.

ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઉપરાંત અકસ્માતની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત ઘટનાની જાણ થતા સંતરામપુર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે સગા ભાઈઓ સહિત અકસ્માતમાં ત્રણ યુવાનોના મૃત્યુ : ST બસ અને બાઈક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત…"

Leave a comment

Your email address will not be published.


*