નવરાત્રી ઉત્સવ ને મંજૂરી અપાવા આયોજક દ્વારા કરવામાં આવ્યું આ કામ,જાણો વિગતે

Published on: 7:24 pm, Tue, 25 August 20

વિશ્વના સૌથી મોટા ડાન્સ નો તહેવાર અને ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટ્લે કે નવરાત્રી ઉત્સવને મંજૂરી આપવા માટે આયોજકો દ્વારા સરકારને દબાણ આપવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં કોરોના અંગેની સ્થિતિને જોઈને રાજ્ય સરકાર પોતાનું મન બદલે તેવી વાતો સુત્રો દ્વારા મળી રહે છે. ગુજરાતમાં આગામી સમયમાં આવનાર નવ દિવસનો તહેવાર એટલે કે નવરાત્રી ની પરમીશન માટે વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, નવરાત્રી અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, કોરોના પરિસ્થિતિ અંગે થોડા સમય પહેલા નિર્ણય લેવાનું કહ્યું હતું.

આગામી 17 ઓક્ટોબર નવરાત્રી ચાલુ થવા જઈ રહી છે. ત્યારે અલગ-અલગ ગરબા આયોજકો દ્વારા સરકાર ઉપર દબાણ નાખવામાં આવી રહ્યું છે. નવરાત્રી સાથે સંકળાયેલા આયોજકો ભાજપ પ્રદેશ પ્રમુખ ની ઓફિસ કમલમમાં નવરાત્રી ની પરમિશન અંગે રજૂઆત કરવામાં આવ્યા હતા, ત્યારે રાજકોટના ગરબા આયોજક એ પાસ વેચવાનું પણ ચાલુ કરી દીધું છે.

નવરાત્રિના આયોજકો દ્વારા આપવામાં આવેલ દબાણના કારણે નવરાત્રી અંગે ફાઇનલ નિર્ણય આગામી સમયમાં સરકાર બેઠક બોલાવીને ચર્ચા વિચારણા કરશે. કરો નાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અલગ-અલગ ગાઇડ લાઇન બહાર પાડીને નવરાત્રી અંગે પરમિશન આપી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ

” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નવરાત્રી ઉત્સવ ને મંજૂરી અપાવા આયોજક દ્વારા કરવામાં આવ્યું આ કામ,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*