આ મહિલાએ વિદેશ જવા માટે માનતા રાખી હતી, માં મોગલે મહિલાની માનતા પુરી કરી, ત્યારે મહિલા 5000 રૂપિયા લઈને માં ના ચરણમાં પહોંચી ત્યારે મણીધર બાપુએ કહ્યું કે….

Published on: 5:07 pm, Wed, 11 May 22

માં મોગલ તો અપરંપાર છે. તેમના દર્શન માત્રથી ભક્તોની સમસ્યા અને દુઃખ દૂર થાય છે. ત્યારે લોકો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી માં મોગલ ની માનતા માનતા હોય છે. વાત કરીએ તો અઢારે વરણની સરખી રાખતી માં મોગલ હંમેશા લોકોને ઘણા પરચા બતાવ્યા કરે છે.

માં મોગલ એ અત્યાર સુધી ઘણા લોકોને પરચા બતાવ્યા છે અને ભકતો પણ શ્રધ્ધાથી મા મોગલની માનતા માની માન્યતાઓ પૂર્ણ કરે છે. ત્યારે એવી જ એક વાત સામે આવી છે કે જેમાં એક મહિલાએ માં મોગલ ની માનતા પુરી કરી મોગલ ના આશીર્વાદ લેવા આવી પહોંચી.

એક મહિલાની માનતા પૂર્ણ થતાં કબરાઉ સ્થિત માં મોગલ ધામ મોગલ ના દર્શન માટે આવી પહોંચી હતી. ત્યારે કબરાઉ સ્થિત મંદિરમાં મણીધર બાપુ પણ બિરાજમાન છે. ત્યારે આ મહિલાએ મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે આ માનતા શા માટે માની હતી?

ત્યારે મહિલાએ કહ્યું કે, ઘણા સમયથી વિદેશ જવાનું કામ અટકતું હતુ. ઘણી સમસ્યાઓનો સામનો કર્યો હતો પરંતુ વિદેશ જવાનું સપનું દૂર જતું જણાતું હતું. તેવામાં છેલ્લે માં મોગલ ને શ્રદ્ધા રાખી માં મોગલ ની માનતા માની હતી કે આ પરીક્ષા માં પાસ થઈ જઈશ તો તારું વિદેશ જવાનું સપનું પાર પડી જશે.

ત્યારે માં મોગલ એ થોડા જ દિવસોમાં મહિલાની માનતા પૂર્ણ કરી હતી. તેથી એ મહિલાએ 5001 રૂપિયા મણીધર બાપુના ચરણોમાં ચડાવીને માનતા પૂર્ણ કરી. ત્યારે તેમણે કહ્યું કે સારા માર્ક્સ થી પરીક્ષામાં પાસ થઈ ગઈ છું અને મારો વિદેશ જવાનું સપનું સાકાર થયું છે.

ત્યારે મણીધર બાપુ એ 5001 રૂપિયામાં 20 રૂપિયા નો ઉમેરો કરી ને એ મહિલાને પૈસા પાછા આપ્યા. અને આશીર્વાદ આપતા કહ્યું કે માં મોગલ તારી માનતાએ 21 ગણી સ્વીકારી છે અને માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોનાં ભાવના ભૂખ્યા છે.તમારા દર્શન માત્રથી રાજી રાજી થઇ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ મહિલાએ વિદેશ જવા માટે માનતા રાખી હતી, માં મોગલે મહિલાની માનતા પુરી કરી, ત્યારે મહિલા 5000 રૂપિયા લઈને માં ના ચરણમાં પહોંચી ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…."

Leave a comment

Your email address will not be published.


*