આ બહેનને શરીરમાં ખૂબ જ દુખાવો થતો હતો, તેથી તેમને માં મોગલની માનતા રાખી અને થોડાક દિવસોમાં જ દુખાવો જડ મૂળમાંથી ગાયબ થઈ ગયો…

Published on: 6:16 pm, Wed, 24 August 22

કહેવાય છે ને કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે ત્યારે તેમના પરચા પર અપરંપાર રહ્યા છે. સાથે માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. એટલું જ નહીં પરંતુ જે કોઈ ભક્તો માં મોગલના દર્શનાર્થી આવે છે તેઓ માં મોગલના દર્શન માત્રથી ધન્ય ધન્ય થઈ જાય છે. આ ઉપરાંત સાચા દિલથી માં મોગલને માનો તો તમામ સમસ્યાઓ પણ માં મોગલ દૂર કરે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

માં મોગલ એ આજ દિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે. એવામાં જ આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવતી જામનગર થી પોતાની માનતા પૂરી કરવા માટે 10000 રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચી છે.

તેને કહેવાય છે કે માં મોગલને માયા બંધાઈ જાય તો ભક્તો દુઃખી થતા નથી અને બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. કચ્છમાં આવેલા કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પર સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એ યુવતી એ મણીધર બાપુ ના આશીર્વાદ લીધા તેરે મણીધર બાપુએ પૂછ્યું કે બેટા શેની માનતા હતી?

યુવતીએ જણાવતા કહ્યું કે આંખના ઓપરેશન બાદ શરીરમાં દુખાવો રહેતો હતો જેની ઘણી દવાઓ કરાવી છતાં કોઈ ફેર ના પડ્યો અને અંતે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખીને માનતા માની હતી. યુવતી વધુમાં જણાવતા કહ્યું કે માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માનીએ કે તરત થોડા સમયમાં દુખાવો સારો થઈ જવાની સાથે જ માનતા પુરી કરવા માટે 10 હજાર રૂપિયા લઈને મોગલધામ આવી પહોંચી છું.

ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને સાથે કહ્યું કે આ પૈસા માંથી અડધા તારી પુત્રીની અને અડધા તારા નણંદ ને આપજે માં મોગલ રાજી થશે અને માં મોગલે તારી 110 ગણી માનતા સ્વીકારી લીધી. મણીધર બાપુએ વધુમાં જણાવતા કહ્યું કે આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને પડ્યો છે.

તેથી ભક્તોને પણ મોગલ પ્રત્યે માયા બંધાઈ જાય છે અને એમાં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માનતા હોય છે તેથી જ તો કહેવાય છે કે માં મોગલ ની કોઈ દાનપીઠની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે. જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ બહેનને શરીરમાં ખૂબ જ દુખાવો થતો હતો, તેથી તેમને માં મોગલની માનતા રાખી અને થોડાક દિવસોમાં જ દુખાવો જડ મૂળમાંથી ગાયબ થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*