વિજય રૂપાણી ના પુત્ર ના લગ્ન છે એટલે લોકડાઉન નહિ થાય તેવા મેસેજ અંગે મુખ્યમંત્રી રૂપાણી આપ્યો આ મહત્વનો જવાબ, જાણો.

Published on: 9:10 am, Thu, 8 April 21

ગુજરાત રાજ્યમાં કોરોના કેસો એટલી ઝડપથી વધી રહ્યા છે કે રાજ્યમાં લોકડાઉન લગાવવાની વાતે જોર પકડ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી મંગળવારના રોજ સુરત દોડી આવ્યા હતા અને કોરોના ની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી અને ત્યારબાદ મોડી રાત્રે નાટક કરફ્યુ નો સમય એક કલાક લંબાવી દેવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

રાજ્યમાં લોકડાઉન ની જાહેરાત ન કરતા સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરતો હતો જેમાં કહેવામાં આવી રહ્યું છે કે,’ગુજરાત માં હમણાં લોકડાઉન નહિ થાય,કારણ કે વિજય રૂપાણી ના પુત્ર ના લગ્ન છે.

‘આ મેસેજ અંગે રાજ્યના મુખ્યમંત્રીએ ખુલાસો કરવો પડ્યો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાયરલ મેસેજ અંગે સોશિયલ મીડિયા પર જવાબ આપતા કહ્યું કે, મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાથી વાતો પાયાવિહોણી છે.

આ પ્રકારનું કોઈ જ આયોજનના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા ખોટા ન્યુઝ છે અને અત્યારે અને મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોના સંક્રમણને અટકાવવાનું છે.

કોરોનાવાયરસ નું સંક્રમણ જયારે વધી રહ્યુ છે ત્યારે વધુ 50 ધનવંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે. સુરત શહેરના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી.

અને જેમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જે આગામી સમયમાં જોવા મળશે કેટલા અસરકારક છે. આ બેઠકમાં મુખ્યત્વે ત્રણ નિર્ણય લેવામાં આવ્યા છે.

જેમાં પ્રથમ નિર્ણય શહેરમાં 2500 રેમડેસવીર જથ્થો મોકલવામાં આવશે અને આ ઉપરાંત નર્સિંગહોમ શરૂ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે.

અને શહેરમાં પહેલા 50 ધન્વંતરી રથ ચાલતા હતા તેની સંખ્યા આવે ડબલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે સુરત આવીને ત્રણ મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વિજય રૂપાણી ના પુત્ર ના લગ્ન છે એટલે લોકડાઉન નહિ થાય તેવા મેસેજ અંગે મુખ્યમંત્રી રૂપાણી આપ્યો આ મહત્વનો જવાબ, જાણો."

Leave a comment

Your email address will not be published.


*