ખેડૂતોની આવક ચાર ગણી કરવા સરકાર લાવી આ મહત્વની યોજના

Published on: 4:20 pm, Tue, 29 September 20

વીજળીના બીલ પર થતાં વધુ પડતા ખર્ચને ઓછા કરવા માટે સોલાર પેનલ થકી ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ફ્રી સોલાર પેનલ યોજના શરૂ કરી છે.જેમાં ખેડૂતોને પોતાના ખેતર અથવા ઘરના ધાબા પર ખાનગી કંપનીઓને ભાડા પર ઉપલબ્ધ કરાવવાની રહેશે. ભાડા પર આપીને તેમની જગ્યાએ તમે સારા એવા પૈસા મેળવી શકશો. આ યોજના હેઠળ સોલાર પેનલ બીલકુલ મફતમાં લગાવવામાં આવશે. સોલાર પેનલથી ઉત્પન્ન થનાર વીજળીને આપ વાંચી પણ શક્શો.આ યોજનામાં ખેડૂત પોતાના ખેતરના 1/3 ભાગને સોલર પેનલ લગાવવા માટે ભાડા પર આપી શકો છો.

તેને બદલે સાંજે કંપનીઓ પાસેથી એક લાખ રૂપિયા પ્રતિ એકર હિસાબથી ભાડુ લઇ શકશો.આ યોજનામાં ખેડૂત 25 વર્ષ માટે કંપનીને પોતાના ખેતર ભાડા પર આપશે. આ દરમિયાન કંપનીની નિયમિત રૂપથી દર વર્ષે પૈસા આપી દેશે.25 વર્ષ પૂર્ણ થયા બાદ ખેડૂતોને કંપની ચાર લાખ રૂપિયા પ્રતિ એકર હિસાબથી આપશે જેનાથી ખેડૂતો ની કમાણી ચાર ગણી વધી જશે.

 આ યોજનાના વિવિધ ફાયદાઓ

સોલર પેનલ યોજના હેઠળ ખાનગી કંપનીઓ ખેડૂતોને ભાડા તરીકે એક લાખ રૂપિયા પ્રતિ એકર આપશે અને 25 માં વર્ષથી એક એકર ખેતર નું ભાડું ચાર લાખ રૂપિયા થઈ જશે.

સોલર પેનલ લગાવવામાં ખેડૂતોને કોઈ પણ જાતનો ખર્ચ ભોગવવો પડશે નહીં અને પીપીપી મોડલ પર ખાનગી કંપનીઓ તેને પોતાના ખર્ચ થી લગાવશે.

સોલર પેનલ જમીનથી 3.5 મીટરની ઊંચાઈ પર લગાવવામાં આવશે. જેનાથી ખેડુતોને ત્યાં ખેતી કરવામાં કોઇ પણ પ્રકારની સમસ્યા આવશે નહીં.

એક એકર જગ્યા આપવા પર ખેડૂતોને દસ હજાર યુનિટ વીજળી ફ્રી મળશે. સાચે જરૂરિયાતથી વધુ વીજળી પેદા થવા પર તેને કંપની અથવા સરકારને પણ વેચી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતોની આવક ચાર ગણી કરવા સરકાર લાવી આ મહત્વની યોજના"

Leave a comment

Your email address will not be published.


*