તહેવારોની સિઝન વચ્ચે લોકોને રાહત આપવા એસટી વિભાગ દ્વારા લેવાયો આ મહત્વપૂર્ણ નિર્ણય

Published on: 9:31 am, Sat, 31 October 20

રાજ્યમાં કોરોના મહામારી ની વચ્ચે રાજ્ય સરકારે ધંધા-ઉદ્યોગ શરૂ કરવાનો નિર્ણય લેતા ધંધાને ઉદ્યોગો ધીરે ધીરે ખુલ્યા છે.લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જોવા મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા બસ સેવા પણ ધીરે-ધીરે શરૂ કરવામાં આવી છે.પરંતુ હાલ ગુજરાત રાજ્ય એસટી બસો ખૂબ જ ઓછી ચાલી રહી છે પરંતુ કોરોના મહામારી વચ્ચે આગામી દિવસોમાં એ આવનારા દિવાળીના તહેવારને લઈને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યા પર જવામાં તકલીફ ન પડે.

તે માટે વધુ બસોને દોડાવવાનો એસટી વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ એસટી વિભાગ દ્વારા લોકોની અવર-જવર ને ધ્યાનમાં લઈને અને તહેવારોની સિઝનને ધ્યાનમાં લઇને ગુજરાતના રાજકોટ થી 100 જેટલી વધારે બસોને દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તહેવારોની સિઝનમાં લોકો ફરવા જવાનું વધારે પસંદ કરતા હોવાના.

કારણે ધાર્મિક પ્રવાસ સ્થળો પર જતી બસો માં પણ વધારો કરવાનું રાખ એસટી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.તહેવારોની સિઝનમાં લોકોને અગવડતા ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

તહેવારની સીઝનમાં લોકોને રાહત આપવા માટે એસટી વિભાગ દ્વારા વધારે એક્સ્ટ્રા બસો દોડાવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "તહેવારોની સિઝન વચ્ચે લોકોને રાહત આપવા એસટી વિભાગ દ્વારા લેવાયો આ મહત્વપૂર્ણ નિર્ણય"

Leave a comment

Your email address will not be published.


*