ગુજરાતમાં નિયંત્રણો સાથે નવરાત્રી થાઈ તે માટે ભાજપ ના આ નેતા એ આપા મોટા સંકેત

કોરોના ની કહેર વચ્ચે છેલ્લા એક મહિનાથી અલગ-અલગ તહેવારોની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યનો સૌથી મોટો તહેવાર ટૂંક જ સમયમાં આવી રહ્યો છે. ત્યારે નવરાત્રિના આયોજકો દ્વારા વારંવાર સરકાર ને નવરાત્રી અંગે પરમીશન આપવા માટે પરિપત્ર લખવામાં આવી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સંકેત આપ્યા છે કે નિયંત્રણો સાથે નવરાત્રી થાય.

નીતિન પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે આ વખતની નવરાત્રિ કેન્દ્ર અને કોર્ટ ની આદેશ ની મયાર્દા સાથે મંજૂરી આપી શકાય કે નહિ તે મુદ્દે વિચારણા થઈ રહી છે. ગાઈડ લાઈન ની મર્યાદામાં રહીને કયા પ્રકારની અનુમતિ આપવી તે અંગે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.

કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય અને અનેક પ્રકારની ગાઈડ લાઈન સાથે નવરાત્રી મહોત્સવ પરમિશન આપવામાં આવે તે અંગે હાલમાં સરકાર વિચારણા કરી રહી છે. આપણે જણાવી દઈએ કે હજી સુધી સરકારે કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી. હાલમાં નાયબ મુખ્યમંત્રી ના આ નિવેદનથી લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકારના અને કોર્ટના નિર્દેશ મુજબ નવરાત્રિને પરમિશન આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*