ખેડૂતોના હિત માટેના લોકસભામાં પાસ થયા આ બે મહત્વપૂર્ણ બિલ.

Published on: 11:39 am, Fri, 18 September 20

કૃષિ સુધાર માટે બે મહત્વપૂર્ણ બિલ લોકસભામાં પાસ થઈ ગયા છે. કેન્દ્રીય કૃષિમંત્રી કહ્યું કે, તેના માધ્યમથી હવે ખેડૂતોના કાનૂની બંધનોથી આઝાદી મળશે. તેઓએ કહ્યું કે,ન્યુનતમ સમર્થન મૂલ્યને યથાવત રાખવામાં આવશે અને રાજ્યોના અધિનિયમ હેઠળ સંચાલિત માર્કેટ પણ રાજ્ય સરકાર અનુસાર ચાલતી રહેશે.લોકસભામાં કૃષિ ઊપજ વ્યાપાર અને વાણિજ્ય વિધેયક – 2020 અને સશક્તિકરણ અને સંરક્ષણ કિંમત આશ્વાસન સમજૂતી અને કૃષિ સેવા પર કરાર વિધેયક 2020 પાસ થઈ ગયા છે.

કૃષિ મંત્રી નું માનીએ તો આ બિલથી કૃષિ ક્ષેત્રમાં ધડમૂળથી પરિવર્તન આવશે, ખેતીમાં રોકાણ થવાને કારણે ઝડપી વિકાસ થશે અને રોજગાર અવસર માં વધારો થશે.તોમરે, આ કાનૂન ના લાભ ગણાવતા કહ્યું કે, ખેલ કોની પાસે માર્કેટમાં જઈને લાયસન્સ ધારક વેપારીઓને જ પોતાની ઊપજ વેચવાની મજબૂરી કેમ,હવે ખેડૂત પોતાની મરજી નો માલિક હસે.

કરારઅધિનિયમ થી કુષક સશકત થશે અને સમાન સ્તર પર MNC, મોટા વેપારીઓ સાથે ડીલ કરી શકશે.મંત્રીએ કહ્યું કે, ખેતી ક્યારે પણ ખેડૂતની પ્રસન્ન પ્રોફેશન બન્યું નથી, હવે ખેતી કરવી વધારે લાભદાયક લોકોને થશે. રોકાણ થવાને કારણે જે અનાજ પહેલા ખરાબ થયું હતું તે હવે નહીં થાય.

ખેડૂત પાસેથી સીધા જ ઉત્પાદન ખરીદવા ની આઝાદી મળશે.કોઈ ટેક્સ ન લાગવાને કારણે ખેડૂત ને વધારે કિંમત મળશે અને ખુબ ઉપાભોગતા ને પણ ઓછી કિંમત પર વસ્તુઓ મળશે હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતોના હિત માટેના લોકસભામાં પાસ થયા આ બે મહત્વપૂર્ણ બિલ."

Leave a comment

Your email address will not be published.


*