પાન માવા ના ગલ્લા બાદ આવતી કાલથી બંધ થશે આ દુકાનો

રાજકોટ : છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે આ પરિસ્થિતિ જોતા દરેક લોકો ચિંતામાં છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાના જિલ્લા કલેક્ટરે રેમ્પા મોહન એ મહત્વનો નિર્ણય લીધેલ છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાવાયરસ નું સંક્રમણ વધતા દુકાનદારોએ સંયમ સવારે ૮થી ૫ વાગ્યા સુધી નો ટાઈમ રાખેલ છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે રાજકોટ જિલ્લામાં આઠ દિવસ માટે ચા – પાનના દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

આ વિષય અંગે જિલ્લા કલેકટર આજે બપોરે જાહેરનામું બહાર પાડવાના છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાવાયરસ નું સંક્રમણ સતત અને સતત વધી રહ્યું છે. પહેલાના સમય કરતા હાલમાં રાજકોટ જિલ્લામાં ત્રણ થી ચાર ગણા કેસ આવી રહા છે. આ જોતાં જિલ્લા કલેકટર રેમપા મોહન કમર કસીને કામ કરી રહ્યા છે.આગામી સમયમાં રાજકોટ જિલ્લાની હાલત અમદાવાદ જેવી ન થાય તે માટે મહાનગરપાલિકા ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે. કોરોનાવાયરસ ના કારણે જિલ્લા કલેકટરશ્રી ચા પાન ના દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધેલ છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*