યુવક પોતાની માનતા પૂરી કરવા 11,000 રૂપિયા લઈને કચ્છમાં આવેલા માં મોગલના ધામ કબરાઉ પહોંચ્યો… અહીં મણીધર બાપુએ યુવકને કાંઈક એવું કહ્યું કે…

Published on: 11:37 am, Thu, 30 November 23

માં મોગલના તો પરચા અપરંપાર છે. અત્યાર સુધીમાં માં મોગલે લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. જો કોઈપણ ભક્ત સાચા દિલથી માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખે તો માતાજી તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે, માં મોગલને કોઈ પણ પ્રકારના દાન ભેટની જરૂર નથી. માં મોગલ તો માત્ર ભક્તોના ભાવની ભૂખી છે.

ત્યારે આજે આપણે માં મોગલના એક પરચા વિશે વાત કરવાના છીએ. મિત્રો વાત કરીએ તો એક વ્યક્તિ પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે 11,000 રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉ ધામ પહોંચ્યો હતો. અહીં યુવકે માં મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી મણીધર બાપુને મળ્યો હતો.

ત્યારે મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા હતા અને તેની પાસેથી 11 હજાર રૂપિયા લઈને તેમાં એક રૂપિયો ઉમેર્યો હતો અને યુવકને તે રૂપિયા પાછા આપી દીધા હતા. વધુમાં બાપુએ કહ્યું હતું કે આ પૈસા તારી પત્ની અને બહેનને આપી દેજે.

એટલે માં મોગલ રાજી રહેશે આ કોઈ ચમત્કાર નથી. પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો તેમનું ફળ છે. તેથી બધા ભક્તોને કહું છું કે માં મોગલ પર સાચા મનથી વિશ્વાસ રાખશો તો માતાજી તમારી તમામ મનોકામના પૂર્ણ કરશે.

મણીધર બાપુએ વધુમાં જણાવ્યું કે, માતાજીની કોઈપણ પ્રકારના દાનભેટની જરૂર નથી માતાજી તો માત્ર ભક્તોના ભાવની ભૂખી છે. એટલે જ કહેવાય છે જ્યાંથી દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "યુવક પોતાની માનતા પૂરી કરવા 11,000 રૂપિયા લઈને કચ્છમાં આવેલા માં મોગલના ધામ કબરાઉ પહોંચ્યો… અહીં મણીધર બાપુએ યુવકને કાંઈક એવું કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*