યુવક પોતાની માનેલી માનતા પૂરી કરવા 11,000 રૂપિયા લઈને માં મોગલના ચરણે આવ્યો… ત્યારે મણીધર બાપુએ તે રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને કંઈક એવું કહ્યું કે…

મિત્રો તમે સૌ કોઈ લોકોએ માં મોગલના પરચા વિશે તો સાંભળ્યું જ હશે. કહેવાય છે કે માં મોગલના ચરણમાં આવતા તમામ ભક્તોની માતાજી મનોકામના પૂર્ણ કરે છે. એટલે જ માં મોગલ અને અઢારે વરણની માતા કહેવાય છે.

જ્યારે કોઈપણના જીવનમાં દુઃખ આવે ત્યારે તેઓ માં મોગલને અચૂક યાદ કરતા હોય છે. કહેવાય છે કે જો સાચા દિલથી માં મોગલની માનતા માનો તો માતાજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે આજે આપણે કબરાઉમાં બેઠેલી માં મોગલના કેટલાક પરચા વિશે વાત કરવાના છીએ.

વાત કરીએ તો એક યુવક પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે 11 હજાર રૂપિયા લઈને કબરાઉ ધામ પહોંચી આવ્યો હતો. અહીં યુવકે માં મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા.

ત્યારે મણીધર બાપુ એ પૂછ્યું કે બેટા ત્યારે શેની માનતા હતી..? ત્યારે યુવકે મણીધર બાપુને કહ્યું કે મેં એક માનતા માની હતી. જો તે માનતા પૂરી થશે તો 11000 રૂપિયા માં મોગલના ચરણમાં અર્પણ કરશે. મારી માનતા પૂરી થઈ ગઈ છે એટલે હું માતાજીના ચરણમાં 11 હજાર રૂપિયા અર્પણ કરવા આવ્યો છું.

પછી મણીધર બાપુએ યુવક પાસેથી 11 હજાર રૂપિયા લઈ લીધા હતા. પછી તેમાં એક રૂપિયો ઉમેરીને તે રૂપિયા તેને પાછા આપી દીધા હતા અને કહ્યું હતું કે આ રૂપિયા તારી બહેનને આપી દેજે એટલે માં મોગલ રાજી થઈ જશે.

મિત્રો મણીધર બાપુ કહે છે કે, માં મોગલને કોઈ પણ પ્રકારના દાન, ભેટની જરૂર નથી માં મોગલ તો માત્ર ભક્તોના ભાવની ભૂખી છે. જો સાચા દિલથી માં મોગલને યાદ કરશો અને તેમના પર શ્રદ્ધા રાખશો તો માં મોગલ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*