કોરોના વાઇરસની રસી ને લઈને WHO એ કરી મોટી જાહેરાત.

Published on: 11:09 am, Fri, 16 October 20

WHO ની મુખ્ય વૈજ્ઞાનિક સોમ્યા સ્વામીનાથ ને કહ્યું કે એક સ્વસ્થ અને યુવાન વ્યક્તિને કોરોના રસી મેળવવા માટે 2022 ના વર્ષ સુધી રાહ જોવી પડી શકે તેવી શક્યતા છે.એક સોશિયલ મીડિયાની વેટમાં તેમને મહત્વની વાત કરી કે,મોટાભાગના લોકો એ વાત સાથે સહમત છે તે પહેલાં સ્વાસ્થ્ય કર્મીઓ કેજો કોરોના સામે લડી રહ્યા છે તેમને રસી આપવી જોઈએ. તો આમાં પણ નક્કી કરવું પડશે કે સ્વાસ્થ્યકર્મીઓ માં સૌથી વધારે જોખમ કોનું છે?

આ આ સિવાય વધારે વયના લોકોને પણ વધારે જોખમ રહેલું છે.સ્વામીનાથને કોરોના વેક્સિન આવનાર એક વર્ષમાં ઉપલબ્ધ થવાની વાત કરી છે. તેમને કહ્યું કે 2021 સુધી માં કોરોના ની એક સફળ અને પ્રભાવશાળી રસી દુનિયાને મળી જશે. પરંતુ આ રસી સીમિત માત્રામાં જ ઉપલબ્ધ થશે અને જેના કારણે પ્રાથમિકતા ના આધારે રસીકરણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે.કોરોના ની વેક્સિન માટે અત્યારે દુનિયાભરમાં અનેક રસી ઉપર પરીક્ષણ થઈ રહ્યા છે. જેમાંથી ઘણી કંપનીઓ અને સંશોધકોએ આ વર્ષના અંત સુધીમાં રસી મળી જવાનો દાવો કર્યો છે.

આમ છતાં WHO દ્વારા આ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!