બાઈક લઈને પોતાના ઘરે જતા ડોક્ટરનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત… માલધારી પરિવારમાં માતમ છવાઈ ગયો…

સુરેન્દ્રનગરમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર નજીક એક ડોક્ટર બાઇક લઈને જતા હતા. આ દરમિયાન રસ્તામાં અચાનક જ ઢોર આડુ આવતા તેમને અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતની ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ કારણોસર તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારજનો અને આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મેરૂભાઈ ડાયાભાઈ ગરીયા હતું અને તેમની ઉંમર 26 વર્ષની હતી. મેરૂભાઈ ધ્રાંગધ્રાં તાલુકાના ગાજણવાવ ગામના વતની હતા.

તેઓ બીએચએમએસની ઇન્ટર્નશીપ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પૂર્ણ કરી હોય તેનું સર્ટિફિકેટ લઈને તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તારીખ 4 ના રોજ આપવાનું હતું. તેથી તેઓ રાજકોટથી સર્ટિફિકેટ લઈને પોતાના ઘરે બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અચાનક જ રોડ ઉપર ઢોર આડુ આવ્યું હતું.

જેના કારણે મેરૂભાઈનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં મેરૂભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, આ કારણોસર તેમનું કરુણ મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલા મેરૂભાઈ ત્રણ ભાઈઓમાં નાના હતા. તેમના પત્ની સગર્ભા છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મેરૂભાઈ તેમના પરિવારમાં પહેલા ડોક્ટર હતા. તેવામાં અકસ્માતમાં તેમનું મોત થતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મેરૂભાઈનું મોત થતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. સામાન્ય માલધારી પરિવારનો યુવાન જુવાનજોધ દીકરો ડોક્ટર બને તે પહેલા તેમના જીવનનો અંત આવી જતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*