તૌકતે વાવાઝોડાને લઈને એસટી વિભાગે લીધો મોટો નિર્ણય, જાણો વિગતે.

Published on: 9:04 pm, Mon, 17 May 21

તૌકતે વાવાઝોડાના કારણે વિજ, વન સહિત હવે એસટી વિભાગે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 50 કિલોમીટર સુધીના રૃટ બંધ કરી દેવામાં આવ્યા છે. વાવાઝોડાને લઈને એસટી વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અને બપોરથી જ દરિયા વિસ્તારોમાં એસટી સેવા બંધ કરી દેવામાં આવશે. ચાર હજાર જેટલી ટ્રીપો બંધ કરવામાં આવી છે. તૌકતે આગમન સાથે દરિયાકિનારે 15 થી 25 ફૂટ ઊંચાં મોજાં ઉછળશે.

દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 11 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે.

અલંગ ના દરેક પોર્ટ, ભાવનગર, દહેજ, મગદલ્લા મા 11 નંબરનું સિગ્નલ લાગ્યું છે. દમણમાં પણ 11 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

સાથે વેરાવળ, જાફરાબાદ અને પીપાવાવમાં 11 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. ભાવનગરના મહુવા થી પોરબંદર વચ્ચે વાવાઝોડું લેન્ડ કરશે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ વાવાઝોડું જમીન સાથે ટકરાશે.

ત્યારે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થશે. દરિયામાં બે મીટર સુધી ઉંચા મોજા ઉછળી શકે છે એટલે કે અમરેલી, બોટાદ, ભાવનગર, વલસાડ, નવસારી માં તૌકતે વાવાઝોડાની વધારે અસર જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "તૌકતે વાવાઝોડાને લઈને એસટી વિભાગે લીધો મોટો નિર્ણય, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*