વીજળી ને લઈને દેશની જનતાને થશે મોટો ફાયદો! મોદી સરકાર આ કાયદો લગાવવાની તૈયારીમાં…

Published on: 3:44 pm, Sat, 17 July 21

દેશમાં કોરોનાની મહામારી સાથે મોંઘવારીની મહામારી પણ ચાલી રહી છે. ત્યારે જો તમે વીજળી સેવાઓ આરતી હાલની કંપનીઓથી પરેશાન છો તો તમારી પાસે કંપની બદલવા અને ઈચ્છા અનુસાર નવી કંપની પસંદ કરવાનો અધિકાર હશે.

આવી રીતે જ કામ કરશે જેવી રીતે ટેલીફોન કંપનીઓની સેવાથી આપણે ખૂબ જ નીકળી ગયા છે અને આપણે ઇચ્છીએ ત્યારે બીજી કંપનીમાં જઈ શકીએ છીએ.

તે માટે હવે એક જ ક્ષેત્રમાં ઘણી બધી કંપનીઓને જવાબદારી આપવામાં આવશે જેનાથી વીજળીના ગ્રાહકો પોતાની મનપસંદ કંપની પસંદ કરી શકે. આ ઉપરાંત પાવર એન્ડ રિન્યુએબલ એનજા મિનિસ્ટર આર કે સિંહ અનુસાર સરકાર સોમવારે શરૂ થનાર મોનસુન સત્રમાં AMENDMENT BILL 2021 રજૂ કરી શકે છે.

જો આમ થયું તો આ પાવર ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રમાં મોટું રિફોર્મ હશે. જે ગ્રાહકો માટે ખૂબ જ સારું રહેશે. આ ઉપરાંત 2021માં જાન્યુઆરી મહિનામાં ELECTRICITY AMENDMENT BILL 2021 નો એક પ્રસ્તાવો કેબિનેટની મંજૂરી માટે ઘણીવાર રજૂ કરવામાં આવ્યો હતો.

જો આ બિલ લાગુ થઈ ગયું તો ખાનગી કંપનીઓને વીજળી વિસ્તરણ ક્ષેત્રમાં આવવાનો રસ્તો ખૂબ જ સરળ થઈ જશે. કારણ કે લાયસન્સ લેવાની જરૂરિયાતો ખતમ થઇ જશે. જેના કારણે એક વિસ્તારમાં એકથી વધારે વીજળી કંપનીઓ થઈ જશે.

તેનો સીધો ફાયદો વીજળીના ગ્રાહકોને થશે. કારણ કે તેમની પાસે પસંદગી કરવા માટે ઘણી સર્વિસ provide હશે. હાલના સમયમાં અમુક સરકારી અને ખાનગી કંપનીઓ જ વીજળી ક્ષેત્રમાં દબદબો જમાવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "વીજળી ને લઈને દેશની જનતાને થશે મોટો ફાયદો! મોદી સરકાર આ કાયદો લગાવવાની તૈયારીમાં…"

Leave a comment

Your email address will not be published.


*