ખેડૂતો માટે ખુશીના સમાચાર! કેન્દ્રની મોદી સરકારે લીધો મોટો નિર્ણય

Published on: 10:16 am, Fri, 15 October 21

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા દેશના 12.13 કરોડથી વધુ ખેડૂત માટે સારા સમાચાર છે. મોદી સરકાર બહુ જલ્દી તેમને મોટી ભેટ આપવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની રકમ બમણી કરવાનું વિચારી રહ્યા છે.

જો આવું થાય તો ખેડૂતોને વાર્ષિક 6000 ને બદલે ત્રણ સમાન હપ્તામાં બાર હજાર રૂપિયા મળશે.કેન્દ્ર સરકારે મંત્રીના દાવાની પુષ્ટિ કરી નથી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર,બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે તાજેતરમાં દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા.

આ મંત્રીના જણાવ્યા અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ ની રકમ બમણી થવા જઈ રહી છે. આ માટે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. કેન્દ્ર સરકારે મંત્રીના દાવાની પુષ્ટિ કરી નથી તે જ સમયે સામાન્ય ખેડૂતોને આશા છે કે 2024 પહેલા સરકાર પીએમ કિસાન ની રકમમાં વધારો કરી શકે છે.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2018 માં શરૂ કરવામાં આવી છે.આ યોજનાનો ઉદેશ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો છે. અમરેન્દ્ર પ્રતાપે કહ્યું કે અત્યાર સુધી આ યોજના હેઠળ 1.38 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ખાતામાં મોકલવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર! કેન્દ્રની મોદી સરકારે લીધો મોટો નિર્ણય"

Leave a comment

Your email address will not be published.


*