સરકારી નોકરીઓને લઈને કેન્દ્રની મોદી સરકારે લીધો બહુ મોટો નિર્ણય,હવેથી….

સરકારી નોકરીઓમાં ઇન્ટરવ્યૂને લઇને કેન્દ્રની મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.હવે દેશના ૨૩ રાજ્યોના અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકારી નોકરીઓ માટે ઈન્ટરવ્યું નહીં લેવાય. આ વિશે માહિતી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપી હતી.દેશના ૨8 માટે 23 રાજ્યો અને જમ્મુ કાશ્મીર અને લડાખ સહિત આઠ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકારી નોકરીઓ માટે હવે ઇન્ટરવ્યૂ વ્યવસ્થા ખતમ કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે અંગે જાણકારી આપતા કહ્યું કે, કેન્દ્ર સરકારમાં ગ્રુપ બી અને ગ્રુપ સી ના પદ માટે ઇન્ટવ્યૂ ની વ્યવસ્થા 2016 થી જ ખતમ કરી દેવામાં આવી છે. તેમને કહ્યું કે પ્રધાનમંત્રી મોદી 2015 માં લાલ કિલ્લાથી પરીક્ષાઓથી ઇન્ટરવ્યૂ હટાવવા અને લેખિત પરીક્ષાના આધારે જ નોકરી આપવાની વાત કરી હતી.

તેમને તેમના નિવેદનમાં કહ્યું કે ભરતીપ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે ઈન્ટરવ્યું પ્રથા હટાવી દેવા થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ખુબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

પહેલા પણ ઘણી વાર આરોપ લાગતા હતા કે નોકરી ઓમાં અંકોમાં ગોટાળો કરવામાં આવતા હતા અને તેના બદલામાં મોટી રકમના લાંચ રૂપે આપવામાં આવતી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*