કેન્દ્રની મોદી સરકારે ગામડાના લોકોને આપી મોટી ખુશખબર,હવે 2024 સુધી આ લોકો ને મળશે આ મહત્વની…

Published on: 9:59 am, Thu, 9 December 21

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાને 2024 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 સુધી ચાલુ રાખવા માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લોન્ચ કરી હતી.પ્રધાનમંત્રી મોદીએ 2015માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લોન્ચ કરી હતી અને આ યોજનાના માધ્યમ દ્વારા ગ્રામિણ વિસ્તારના લોકોને ઘર રીપેરીંગ અને ઘર બનાવવા આર્થિક સહાયતા અપાય છે.

સમતળ જમીન માટે 1,20,000 અને પહાડી વિસ્તારો માટે 1,30,000 ની આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના પર અત્યાર સુધી 1,97,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને સરકારે આ યોજના માટે 2,17,257 કરોડ રૂપિયાથી મંજૂરી આપી દેવાઈ છે.

પીએમ આવાસ યોજના હેઠળ દેશના પહાડી રાજ્યોમાં કેન્દ્ર અને રાજ્ય 90:10 ના પ્રમાણમાં સહાય આપે છે અને સામાન્ય વિસ્તારો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચે 60:40 ના ભાગે સહાય વિતરીત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્રની મોદી સરકારે ગામડાના લોકોને આપી મોટી ખુશખબર,હવે 2024 સુધી આ લોકો ને મળશે આ મહત્વની…"

Leave a comment

Your email address will not be published.


*