કોરોના ની કહેર વચ્ચે કેજરીવાલ સરકારે લીધો તાબડતોબ મોટો નિર્ણય.

Published on: 3:08 pm, Tue, 6 April 21

દિલ્હીમાં કોરોનાવાયરસ ના વધતા જતા કેસોને જોતા સરકાર દ્વારા નાઈટ કર્ફ્યુ લગાવામાં આવ્યું છે. રાત્રિના 10 થી સવારના પાંચ વાગ્યા સુધી દિલ્હીમાં નાઈટ કરફ્યુ લાગુ રહેશે. દિલ્હી સરકાર દ્વારા આજે તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.

અને આ નાઈટ કરફ્યુ નો નિર્ણય 30 મી એપ્રીલ સુધી લાગુ રહેશે.દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર ટ્રાફિક મૂવમેન્ટમાં જે લોકોને વેક્સિન લેવા જવું હોય.

તો તે જોઈ શકશે પણ તેમને ઇ પાસ ની જરૂર પડશે. રેશન, કિરાણા, ફળ શાકભાજી અને દૂધ દવા સાથે જોડાયેલા લોકોએ પણ ઇ પાસની જરૂર પડશે.

આ સિવાય પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા એ પણ ઇ પાસ ની મદદથી મુમેન્ટ ની મંજૂરી આપવામાં આવશે તથા આઈડી કાર્ડની મદદથી પેરામેડિકલ સ્ટાફ ના લોકોને છૂટ અપાશે.

ગર્ભવતી મહિલાઓ તથા સારવાર માટે જઇ રહેલા દર્દીઓને છૂટ આપવામાં આવશે.દિલ્હીમાં કોરોનાવાયરસ ના આંકડા માં સતત વધારો જોવા મળી રહ્યો છે.

અને એક અઠવાડિયામાં દિલ્હીમાં 3500 કેસો સામે આવ્યા છે. દિલ્હીમાં 5 મી એપ્રિલે કોરોનાવાયરસ ના 3548 કેસ સામે આવ્યા છે જ્યારે 15ના મોત થયા છે. હાલમાં દિલ્હીમાં 14589 એક્ટિવ કેસ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ની કહેર વચ્ચે કેજરીવાલ સરકારે લીધો તાબડતોબ મોટો નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*