બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની સુરત શહેરમાં થશે અસર, સુરત શહેરમાં આગામી ત્રણ-ચાર દિવસ…

Published on: 11:08 am, Thu, 12 May 22

હાલ સમગ્ર ભારતમાં ગરમીનો પારો ચાર ડિગ્રી સુધી ઘટી શકે તેમ છે. ત્યારે હવામાન આગાહી મુજબ ત્રણ ચાર દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે અને પવન પણ ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. વેસ્ટ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયું જેની અસર સમગ્ર ભારતને થઈ છે.

ત્યારે સુરત શહેરમાં પણ સર્જાયેલ વાવાઝોડાની અસર જોવા મળશે ત્યારે વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં ત્રણથી ચાર ડિગ્રી તાપમાન ઘટયો છે, ત્યારે પૂર ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે પૂર ઝડપે પવન ફૂંકાશે અને કલાઉડી વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે.

એવામાં વાત કરીએ તો સુરત શહેરની કે જ્યાં આજનું તાપમાન 40.3 ડિગ્રી છે જેમાં લઘુતમ તાપમાન 29.1 ડિગ્રીએ પહોંચ્યો છે અને હવામાં ભેજનું પ્રમાણ 47 ટકા છે તેમજ હવાનું દબાણ 1000.00 મિલીબાર છે. હાલમાં વેસ્ટ બંગાળ ની ખાડીમાં વાવાઝોડું સર્જાયુ છે તેના લીધે ઉત્તર-પશ્ચિમ દિશામાં કલાકના 8 કિલોમીટરની ઝડપે પવન રોકાયો હતો.

ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં પણ સિવિયર અને ડીપ ડિપ્રેશનમાં મુકાશે. આ વાવાઝોડાની અસર સુરત શહેરમાં પણ થઇ છે અને આગાહી મુજબ સુરત શહેરનું તાપમાન 32 થી 38 ડીગ્રી થઇ શકે છે અને પુર ઝડપે પવન ફૂંકાય શકે છે.

જોકે વરસાદની આગાહી નથી પરંતુ કલાકના 15 થી 28 કિલોમીટર પૂર ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે અને સુરતની વાત કરવામાં આવે તો સુરત શહેરને તાપમાન ઘટવા પામ્યું છે અને વાદળછાયુ વાતાવરણ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની સુરત શહેરમાં થશે અસર, સુરત શહેરમાં આગામી ત્રણ-ચાર દિવસ…"

Leave a comment

Your email address will not be published.


*