સુરત દિવાળીની ખરીદી કરવા જતા એક જ ગામના 6 લોકોના કમકમાટી ભર્યા મોત, અકસ્માતની ઘટના જોનારના લોકોના ટાંટિયા ધ્રુજી ગયા, ભગવાન દરેકની આત્માને શાંતિ આપે…

Published on: 3:08 pm, Tue, 18 October 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરા નેશનલ હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ હાઇવે પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે અને અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. ત્યારે કપુરાઈ ચોકડી પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સર્જાય છે. આ અકસ્માતની ઘટનામાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો રાજસ્થાનના બાસવાડા ગામના રહેવાસી હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના હતા. 6 લોકો દિવાળીની ખરીદી કરવા માટે સુરત આવવા માટે નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં વડોદરામાં તેમને અકસ્માત નડ્યો હતો.

આજરોજ વહેલી સવારે કપુરાઈ ચોકડી પાસે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. વડોદરામાં રહેતા શૈલેન્દ્ર કુમારે નામના વ્યક્તિએ જણાવ્યું કે, આ અકસ્માતની ઘટનામાં મારા કાકાના દીકરા સંદીપ કલાલ સહિત મારા ગામના છ લોકોના મોત થયા છે. તમામ લોકો બાસવાડાથી સુરત ખરીદી કરવા માટે નીકળ્યા હતા.

સુરત ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની બસ ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મૃત્યુ પામેલો સંદીપ કલાલ સાડી નો વેપાર કરતો હતો. જેથી તે ખરીદી કરવા માટે સુરત આવવા માટે નીકળ્યો હતો. આ ઉપરાંત તેની સાથે ગામના કેટલાક લોકો પણ સાડી ખરીદવા માટે સુરત આવી રહ્યા હતા.

શૈલેન્દ્ર કુમારે વધુમાં જણાવ્યું કે, આજરોજ વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે મને ફોન આવ્યો હતો. તેથી હું તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાંથી સયાજી હોસ્પિટલ ગયો હતો. ત્યાંથી ફરીથી ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે આ અકસ્માતમાં અમારા ગામના છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા સંદીપની પત્ની ઇજાગ્રસ્ત થઈ છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતની ઘટનામાં 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરત દિવાળીની ખરીદી કરવા જતા એક જ ગામના 6 લોકોના કમકમાટી ભર્યા મોત, અકસ્માતની ઘટના જોનારના લોકોના ટાંટિયા ધ્રુજી ગયા, ભગવાન દરેકની આત્માને શાંતિ આપે…"

Leave a comment

Your email address will not be published.


*