શાળા-કોલેજો ચાલુ કરવાને લઈને સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, આ તારીખ થી ચાલુ થશે શાળા – કોલેજ

છેલ્લા કેટલાક મહિનાથી સમગ્ર ભારતમાં સ્કુલ અને કોલેજો બંધ છે.શાળા-કોલેજો ફરી શરૂ કરવા માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવ્યા અને છેલ્લે ઓનલાઈન લર્નિંગ થી લઈને શારીરિક રીતે સ્ટુડન્ટ ની ઉપસ્થિતિ સ્કૂલોમાં નોંધાવવા માટે વ્યવસ્થા ઊભી કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન ગૃહ મંત્રાલય અનલૉક 5 માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. આ માર્ગદર્શિકા હેઠળ સમગ્ર દેશમાં શાળાઓ 15 ઓક્ટોબરથી ચાલુ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.સ્કૂલ અને કોલેજોને ખોલવાનો નિર્ણય પરિસ્થિતિ અનુમાન લગાવ્યા બાદ શાળા કે કોલેજમાં સાથે મંત્રણા કરીને લેવામાં આવશે.

મહત્વની વાત એ છે કે સ્કૂલમાં હાજરી અનિવાર્ય નહીં કરવામાં આવે.બીજી તરફ કોલેજોને પણ ખોલવા માટે શિક્ષણ વિભાગના ઉચ્ચ શિક્ષણ વિભાગને તેના વિશે નિર્ણય લેવા માટે મંજૂરી આપવામાં આવી છે. ગ્રાન્ડ રિયાલિટી ની તપાસ કર્યા બાદ કોલેજોને ખોલવાનો નિર્ણય લેવામાં આવશે.કોલેજ અને સ્કૂલ બંને માટે ઓનલાઇન લર્નિંગ મોડને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.પરિસ્થિતિ વિશે નો તાગ મેળવ્યા બાદ સ્કૂલો અને કોચીંગ સેન્ટરો 15 ઓક્ટોબરથી ખોલવામાં આવશે.

ઓનલાઇનશિક્ષણ ને પ્રાથમિકતા આપવામાં આવશે અને બાળકોને શારીરિક રીતે સ્કૂલમાં ઉપસ્થિત રહેવા માટે દબાણ નહીં કરવામાં આવે. બાળકોને શાળાએ બોલાવવા માટે વાલીઓ ની મંજૂરી ફરજિયાત લેવી પડશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી SOP ને ધ્યાનમાં રાખીને જાતે પોતાની માર્ગદર્શિકા તૈયાર કરી શકશે.

પરંતુતે માર્ગદર્શિકા કડકાઈથી પાલન કરાવી પડશે.મહત્વની વાત એ છે કે રાજ્યમાં સ્કૂલોને ફરી ખોલવા સંબંધી નિર્ણય જે તે રાજ્યની સરકાર ઉપર છોડવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*