કોરોનાવાયરસ ના કહેર વચ્ચે દિલ્હી એ આપ્યા સારા સમાચાર , દેશ આખો રાહત ના શ્વાસ લેશે

Published on: 10:36 am, Thu, 23 July 20

દિલ્હીના શીરા લોજીક સર્વેના પરિણામ આવી ગયા છે . નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને દિલ્હી સરકારના આ સર્વેમાં 22.86 ટકા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. 27 જૂન થી 10 જુલાઈ વચ્ચે થયેલો સર્વ જણાવે છે કે આ પરિણામ આખા દેશ માટે રાહતના સમાચાર છે કેમ કે દિલ્હીમાં ગત મહિના સુધી ઝડપથી કેસ વધી રહ્યા હતા. દિલ્હીના મોનીટરીંગ કમિટીના સભ્ય ડો . ડિકે સરીન કહે છે કે લોકોમાં અડી યુનિટી ડેવલોપ થઈ છે તેમના જણાવ્યા પ્રમાણે ઇમ્યુનિટી ડેવલપ થવાથી આવનારા દિવસોમાં નવા કેસો ઘટાડો જોવા મળશે .

એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં ડો. સરિન પણ કહ્યું કે આ ડેટા આખા દેશ માટે સારા સંકેત છે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બર સુધી કેસની સંખ્યા ઘણી ઓછી થઈ જશે. ICMR આવો જ સર્વે આખા દેશમાં કરી ચૂક્યું છે. દિલ્હીમાં લોકલ લેવલ પર સર્વે કરવામાં આવ્યો છે. આ જ રીતે અલગ અલગ વિસ્તારોમાં સંક્રમણના આધાર પર શીરો સર્વે કરવામાં આવી શકે છે, જેનાથી અનેક લોકોમાં યુનિટી ડેવલોપ થઈ છે તેની જાણકારી મેળવી શકાય છે.

Be the first to comment on "કોરોનાવાયરસ ના કહેર વચ્ચે દિલ્હી એ આપ્યા સારા સમાચાર , દેશ આખો રાહત ના શ્વાસ લેશે"

Leave a comment

Your email address will not be published.


*