ગુજરાતની રાજનીતિમાં નવાજૂની થવાના એંધાણ,2022 માં મુખ્યમંત્રી તો અમારે અમારા સમાજના જોઈએ,જાણો કોણે કરી આ માંગણી?

Published on: 11:20 am, Fri, 15 October 21

ક્ષત્રિય ઠાકોર સમાજે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી ઠાકોર સમાજ માંથી બને તેવી માંગણી કરી છે. અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે સરસ્વતી તાલુકાના વડુ ખાતે આજરોજ છત્રીય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન યોજવાનું આહવાન કરાયું છે.

તેમને જણાવ્યું કે,2022 ની ચૂંટણીને લઈને રણનીતિ ઘડવામાં આવશે. ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ બહુમતીમાં છે ત્યારે 2022 માં ગુજરાતના મુખ્યમંત્રી ઠાકોર સમાજમાંથી હોવા જોઈએ તેવું નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું.

અન્ય સમાચાર : પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા દેશના 12.13 કરોડથી વધુ ખેડૂત માટે સારા સમાચાર છે. મોદી સરકાર બહુ જલ્દી તેમને મોટી ભેટ આપવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની રકમ બમણી કરવાનું વિચારી રહ્યા છે.

જો આવું થાય તો ખેડૂતોને વાર્ષિક 6000 ને બદલે ત્રણ સમાન હપ્તામાં બાર હજાર રૂપિયા મળશે.કેન્દ્ર સરકારે મંત્રીના દાવાની પુષ્ટિ કરી નથી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર,બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે તાજેતરમાં દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા.

આ મંત્રીના જણાવ્યા અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ ની રકમ બમણી થવા જઈ રહી છે. આ માટે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. કેન્દ્ર સરકારે મંત્રીના દાવાની પુષ્ટિ કરી નથી તે જ સમયે સામાન્ય ખેડૂતોને આશા છે કે 2024 પહેલા સરકાર પીએમ કિસાન ની રકમમાં વધારો કરી શકે છે.

Be the first to comment on "ગુજરાતની રાજનીતિમાં નવાજૂની થવાના એંધાણ,2022 માં મુખ્યમંત્રી તો અમારે અમારા સમાજના જોઈએ,જાણો કોણે કરી આ માંગણી?"

Leave a comment

Your email address will not be published.


*