સસરાએ કુહાડી લઈને પોતાની પુત્રવધુનો જીવ લઈ લીધો, પછી આરોપી સસરાએ કાંઈક એવું કર્યું કે… હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…

Published on: 4:42 pm, Tue, 27 June 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક સસરાએ પોતાની પુત્રવધુ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો છે. જીવ લીધા બાદ આરોપી સસરાએ કાંઈક એવું કર્યું કે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. પુત્રવધુનો જીવ લીધા બાદ સસરા થોડીક વાર ઘરના દરવાજા પાસે બેસી ગયા અને ત્યારબાદ સસરા પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ હચમચાવી દેનારી ઘટના આગરામાંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે સસરાએ કુહાડીથી પોતાની પુત્રવધુનો જીવ લીધો હતો. ત્યારબાદ સસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં પોલીસને જણાવ્યું હતું કે “મેં મારી પુત્રવધુનો જીવ લીધો છે. તેણે મારા ઉપર હાથ ઉપાડ્યો હતો”. ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં જઈને પોલીસે જોયું તો પુત્રવધુનું માથું તેના ધડથી અલગ થઈને પડેલું હતું.

સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરીએ તો રઘુવીરસિંહ નામના વ્યક્તિને બે દીકરાઓ છે. જેમાં મોટા દીકરાનું અવસાન થઈ ગયું હતું. નાનો દીકરો યુપી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. નાના દીકરાની પત્ની પ્રિયંકા ગામમાં રહે છે. સમગ્ર ઘટનાને લઈને ગામના લોકોએ જણાવ્યું કે મંગળવારના રોજ સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ પ્રિયંકા ઘરમાં ભોજન બનાવી રહી હતી.

આ દરમિયાન સસરા રઘુવીર સિંહ ત્યાં કુહાડી લઈને પહોંચ્યા હતા. ત્યારબાદ સસરા રઘુવીર સિંહ કુહાડી વડે પોતાની પુત્રવધુ ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. આ સમગ્ર ઘટના બની ત્યારે મોટા દીકરાની વહુ પણ ઘરે હાજર હતી તેને બૂમાબૂબ કરી હતી. જેના કારણે રઘુવીરસિંહ મોટી વહુને પણ મારવા માટે દોડ્યો હતો. પરંતુ મોટી પુત્ર વધુ એ પોતાનો જીવ બચાવી લીધો હતો.

પોતાની પુત્ર વધુનો જીવ લીધા બાદ રઘુવીરજી થોડાક સમય માટે ઘરના દરવાજે બેઠો હતો. ત્યારબાદ રઘુવીર સિંહ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં તેને પોલીસની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને આરોપી રઘુવીરે જણાવ્યું કે, સોમવારના રોજ સાંજના સમયે પુત્રવધુ પ્રિયંકાએ તેની મોટી વહુ સાથે ઝઘડો કર્યો હતો.

ત્યારબાદ મેં પ્રિયંકાને સમજાવવાની કોશિશ કરી પરંતુ તેને મારા ઉપર પણ હાથ ઉપાડ્યો હતો. આ વાત મારાથી સહન ન થઈ અને મને આખી રાત ઊંઘ પણ આવી નહીં. જેથી આજ રોજ સવારે ગુસ્સામાં મેં મારી પુત્રવધુનો જીવ લઈ લીધો હતો. મૃત્યુ પામેલી પ્રિયંકા ના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. પ્રિયંકાના મૃત્યુના કારણે બે દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સસરાએ કુહાડી લઈને પોતાની પુત્રવધુનો જીવ લઈ લીધો, પછી આરોપી સસરાએ કાંઈક એવું કર્યું કે… હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*