વાછરા દાદાની માનતા પૂરી કરીને ઘરે જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, બાળકોની નજર સામે માતા-પિતાનું રિબાઈ રિબાઈને મોત…

Published on: 6:38 pm, Thu, 17 November 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં વાછરા દાદા ની માનતા પૂરી કરીને ઘરે આવતા પાટણના પરિવારને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં પતિ પત્નીનું દર્દનાક મોત થયું છે.

આ ઘટના બનતા ચારેય બાજુમાંતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામનો ઠાકોર પરિવાર ઝીંઝુવાડા રણમાં વાછરા દાદાની માનતા પૂરી કરીને આવતો હતો ત્યારે તેને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

અચાનક જ કારની સામે કૂતરું આવી જતા કૂતરાને બચાવવા જતા કાર પલટી ખાઈ ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બે લોકોના કરુણ મૃત્યુ થયા છે અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે તાત્કાલિક વિરમગામ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામના ભરતજી હીરાજી ઠાકોર પોતાની પત્ની સૂર્યાબેન, દીકરા રોહિત, દીકરી જીનલ, બહેન વિમળાબેન, બનેવી સુરેશજી ઠાકોર અને બે મહિનાની ભાણી શ્રદ્ધાને લઈને ઝિંઝુવાડા રણમાં આવેલા વાછરા દાદાની જગ્યાએ દર્શન અને માનતા પૂરી કરવા માટે ગયા હતા.

પરિવારના તમામ સભ્યો માનતા પૂરી કરીને ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં કૂતરું વાડું આવ્યું હતું કૂતરાને બચાવવા જતા કાર બે કાબુ બની ગઈ હતી અને પૂરપાટ ઝડપે જતી કાર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર તમામ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન સૂર્યાબેન ઠાકોરનું કરુણ મોત થયું હતું. જ્યારે ભરતજી ઠાકોરની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેમને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. પતિ પત્નીનું મૃત્યુ થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વાછરા દાદાની માનતા પૂરી કરીને ઘરે જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, બાળકોની નજર સામે માતા-પિતાનું રિબાઈ રિબાઈને મોત…"

Leave a comment

Your email address will not be published.


*