મંદિરના પૂજારીનું મૃતદેહ લટકતી હાલતમાં પુજા રૂમમાંથી મળી આવ્યું, બે પાનાની સુસાઇડ નોટ મળી આવી તેમાં એવું લખ્યું હતું કે…

Published on: 2:44 pm, Wed, 26 October 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં દિવાળીના દિવસે એક પુજારીનું મૃતદેહ પૂજા રૂમમાંથી લટકતી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને રૂમમાંથી 2 પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી.

સુસાઇડ નોટની અંદર ખૂબ જ ચોકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના કર્ણાટકના રામનગર જિલ્લાના શ્રી કાંચગુલ મઠના સંત બસવલિંગેશ્વરનું મૃતદેહ દિવાળીના દિવસે પૂજા રૂમમાંથી લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર સ્વામી દરરોજ સવારે 4:00 વાગે પૂજા માટે જાગી જતા હતા. પરંતુ 24 ઓક્ટોબર એટલે દિવાળીના દિવસે સવારે છ વાગ્યા સુધી સ્વામીએ રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. તેથી ત્યાંના કર્મચારીઓને શંકા ગઈ હતી. પછી કર્મચારીઓએ ઘણી વખત સ્વામીને બોલાવ્યા અને દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈએ દરવાજો ખોલ્યો નહીં.

ત્યારબાદ રૂમની પાછળની બારી પાસે જઈને જોયું ત્યારે રૂમની અંદર સ્વામી બસવલિંગેશ્વરનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

તપાસ દરમિયાન પોલીસને રૂમમાંથી બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં લખેલા નામના આધારે પોલીસ આરોપીઓની પૂછપરછ કરશે. પોલીસની તપાસ થયા બાદ સોમવારના રોજ સાંજે સ્વામીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોલીસને બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી.

જેમાં સ્વામી બસવલિંગેશ્વરે તેમને બ્લેકમેલ કરનાર લોકોના નામ લખ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસને કહેવું છે કે દબાણમાં આવીને સ્વામી એ આ પગલું ભર્યું છે. અધિકારીઓનું કેવું છે કે સુસાઇડ નોટમાં લખેલા લોકોના નામ સાથે સ્વામી સતત ફોન પર સંપર્કમાં રહેતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મંદિરના પૂજારીનું મૃતદેહ લટકતી હાલતમાં પુજા રૂમમાંથી મળી આવ્યું, બે પાનાની સુસાઇડ નોટ મળી આવી તેમાં એવું લખ્યું હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*