ઘૂંટણ પર ચાલતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મૃતદેહ ધાબા પરની પાણીની ટાંકી માંથી મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના…

Published on: 3:27 pm, Wed, 27 April 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધાબા પર મુકેલા પાણીના ટાંકામાં થી દોઢ વર્ષના બાળકનું મૃતદેહ મળી આવતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ત્યાર બાદ પરિવારજનોએ મળીને પોલીસને જાણ કરતાં બાળકનું મૃતદેહ દફનાવી દીધું હતું. આ ઘટનાને લઈને કેટલાક સવાલો ઉભા થઇ રહ્યા છે.

જેમ કે બાળક તેના ઘૂંટણ પર ચાલતો હતો. તો તે બે માળની સીડી કેવી રીતે ચડ્યું હશે? અને બાળક પાણીની ટાંકી સુધી કેવી રીતે પહોંચ્યો છે? કારણકે પાણીની ટાંકી 3 ફૂટ ઊંચી છે અને તેના પર ઢાંકણ પર લગાવેલું હતું. આ સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો એવું લાગી રહ્યું છે કે બાળકનો જીવ લઈ લેવામાં આવ્યો હશે.

મળતી માહિતી અનુસાર સોમવારના રોજ રાત્રીના સમયે લાડુપુરા ધાબા પર રાખેલી પાણીની ટાંકીમાંથી દોઢ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતું. આ સમગ્ર ઘટનાને લઇને બાળકના પિતા અને તેના દાદાએ આઈજીને એક મેમોરેન્ડમ આપી આ મામલે તપાસની માંગ કરી હતી.

આ ઘટના સોમવારના રોજ સાંજના સમયે 6 વાગ્યાની આસપાસ બની હતી. એટલું જ નહીં પરંતુ ઘટના બન્યા બાદ બાળકના સંબંધીઓએ કાર્યવાહી ન કરવા અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. પાણીની ટાંકીમાં ડુબી જવાથી બાળકનું મૃત્યુ થયું છે એવું પરિવારજનોએ જણાવ્યું હતું.

ત્યારે સંબંધીઓની સહમતિથી બાળકના મૃતદેહને કબરમાંથી પાછું બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. બાળકનું મૃત્યુ થતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલા બાળકની માતાએ જણાવ્યું કે, 20 દિવસ પહેલા બાળકના મોઢા પર નિશાન જોવા મળ્યા હતા.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોનું કહેવું છે કે, બાળકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘણા લોકોની પૂછપરછ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઘૂંટણ પર ચાલતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મૃતદેહ ધાબા પરની પાણીની ટાંકી માંથી મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*