સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા વ્યક્તિનું મૃતદેહ ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના…

Published on: 11:59 am, Sat, 16 April 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામના વતની અને હાલમાં સુરત શહેરમાં હીરા ઘસીને પોતાનું ગુજરાન ચલાવતા 42 વર્ષીય પ્રકાશભાઈ મનજી ભાઈ મકવાણા ગયા શનિવારે સુરત થી નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ ગુમ થઈ ગયા હતા.

આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઇ હતી. ત્યારે આજરોજ સવારે મોટી રાજસ્થળી ગામના એક વાડી વિસ્તારમાં ઝાડ સાથે લટકતી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર એક ખેડૂતે ઝાડ પર લટકતી હાલતમાં આ વ્યક્તિનો મૃતદેહ જોયું હતું.

ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ આજુબાજુના લોકો અને પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને આજુબાજુના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખાણ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા વ્યક્તિ પ્રકાશભાઈ મનજીભાઈ મકવાણા છે.

ત્યારબાદ આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર છેલ્લા એક વર્ષથી પ્રકાશભાઈ તેમની પત્ની અને ત્રણ દીકરાઓ સાથે સુરતમાં રહેતા હતા. પ્રકાશભાઈ છેલ્લા એક વર્ષથી સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા હતા.

પરિવારજનોનું કહેવું છે કે, પ્રકાશભાઈ આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હશે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પ્રકાશભાઈના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં બન્યો છે. પ્રકાશભાઈ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રકાશભાઇના ગુમ થવાની ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. કામરેજ પોલીસની તપાસમાં પ્રકાશભાઈ છેલ્લું લોકેશન મોખડકા સુધીનું મળ્યું હતું. ત્યારે આજરોજ વહેલી સવારે ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા વ્યક્તિનું મૃતદેહ ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*