દિલ્હી માં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ભાજપને લાગ્યો મોટો ઝટકો, જાણો વિગતે

હરિયાણાના ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય સંસદીય સચિવ રામપાલ માજરા એ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે એકતા દર્શાવવા પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે આ કાયદાઓનો વિરોધ કરનારા.

ખેડૂતોની સાથે સંપૂર્ણ રીતે ઉભો છું.આ કાયદા માત્ર ખેડૂત વિરોધી નથી પરંતુ તેનો અમલ કરવામાં આવે તો તેના સમાજના અન્ય વર્ગ પર પણ વિપરિત અસર પડે શકે છે.ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા.

એવા માજરા એ આઇએનએલડી છોડીને 2019 માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેઓએ કેન્દ્ર ના ત્રણ નવા કૃષિ કાયદાને ખેડૂત વિરોધી ગણાવ્યા હતા.

તેઓએ કહ્યું કે એમ એસ પી અંગેની આશંકાઓ નિરાધાર નથી.કેન્દ્ર સરકારના નવા કાયદાઓ અંગે નો વિરોધ હજુ પણ યથાવત છે.કાયદાઓ રદ કરવા પર અડગ રહેનારા ખેડૂતો આ મુદ્દે સરકાર સાથે આરપારની લડાઇની ઘોષણા કરી છે.

આ માટે દિલ્હીની સરહદો પર છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોએ તેમની માંગણી વહેલી તકે સ્વીકારવા સરકારને અપીલ કરી છે અને તે જ સમયે સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદો પાછો લેવામાં આવશે નહીં પરંતુ સુધારા શક્ય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*