ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ ને લઈને રાજ્યની રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, હવે થી લગ્ન પ્રસંગમાં આટલા લોકો ને હજાર રહેવાની પરવાનગી.

Published on: 3:19 pm, Sat, 30 January 21

ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ વધેલા કોરોના સંક્રમણ ને પગલે રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે.રાજ્યની રૂપાણી સરકારે રાજ્યમાં રાત્રી કરફ્યુ ને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ છે. રાજ્યમાં પહેલી ફેબ્રુઆરીથી રાત્રી કર્ફ્યુ માં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.

1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી રાજ્યના ચાર મહાનગરોમાં એટલે કે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ માં રાત્રી માં 11 થી સવાર ના 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે.

અને ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ ચૂંટણીને લઇને પોતાની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે રાજ્યની રૂપાણી સરકારે ચાર મહાનગરોના લોકોને રાત્રી કર્ફ્યુ ને લઈને આંશિક રાહત આપી છે.

સરકારની આ જાહેરાતથી ચારેય મહાનગરોની જનતા માટે ખુશીના સમાચાર છે.રાજ્યની રૂપાણી સરકારે લગ્ન પ્રસંગમાં 200 લોકોની પરમિશન આપવામાં આવી છે.લગ્ન પ્રસંગ ના સ્થળ પર 50 ટકા ની.

કેપિસિટી પર લોકોને આમંત્રણ આપવાની સરકારે ભલામણ કરી છે. ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ નવી માર્ગદર્શિકા નું પાલન 15 ફેબ્રુઆરી સુધી કરવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ ને લઈને રાજ્યની રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, હવે થી લગ્ન પ્રસંગમાં આટલા લોકો ને હજાર રહેવાની પરવાનગી."

Leave a comment

Your email address will not be published.


*