કોરોના ને લઈને વડોદરા થી આવ્યા મોટા સમાચાર, ડોક્ટરે કહ્યું એવું કે જાણીને ચોંકી જશો

Published on: 7:23 pm, Wed, 19 August 20

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાની મહામારી ને કારણસર તેની સામે લડી રહ્યા છીએ. કોરોના ની સામે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે . કોરોના નો પ્રકાર અને કયો વાઇરસ સૌથી વધારે ખતરનાક છે તેના વિશે તેમને જણાવ્યું હતું.

રાજ્યમાં કોરોનાની મહામારી યથાવત જોવા મળી રહી છે ત્યારે કોરોનાવાયરસ ને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડો. શીતલ મિસ્ત્રી આ મામલે નિવેદન આપ્યું છે.

ડો. શીતલ મિસ્ત્રી એ કહ્યું કે, કોરોનાવાયરસ D 614 અને G 614 નામના બે પ્રકાર છે. જેમાંથી હાલ સમગ્ર વિશ્વમાં G 614 વાયરસનું જોર છે અને G 614 કોરોનાવાયરસ એ D614 કરતા દસ ગણું વધુ અસરકારક અને અનેક ગણો ઝડપથી ફેલાય છે.D614 કોરોના માંથી સાજા થયેલા ને ફરીથી ચેપ લાગી શકે છે. ડો. શીતલ મિસ્ત્રી વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલના નોડલ ઓફિસર છે.

હાલમાં કોરોનાવાયરસ મહામારી ના કારણે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય પીડાઈ રહ્યું છે. કોરોનાવાયરસ ના અનેક પ્રકારો બહાર આવતા લોકો માટે ભય ઊભો થઈ રહ્યો છે. દેશના અને રાજ્યના વૈજ્ઞાનિકો દ્વારા મળતી માહિતી મુજબ આ વાઇરસ કરતાં 10 ગણા વધારે ભયંકર હોય છે.