લોકડાઉન ને લઈને આવ્યા મહત્વના સમાચાર, રાજ્યના આ વિસ્તારમાં 31 ઓગસ્ટ સુધી…..

Published on: 6:40 pm, Wed, 19 August 20

અત્યારે સમગ્ર દેશ સહિત દુનિયામાં કોરોનાની મહામારી ચાલી રહી છે,એવામાં દુનિયાભરના વૈજ્ઞાનિકો એક બાજુ કોરોના ની દવા શોધવામાં લાગી ગયેલા છે પરંતુ હજુ સુધી કોઈ ઉમ્મીદ નું કિરણ દેખાયું નથી. સરકાર દ્વારા કોરોના સામે લડવાના બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારી ની ખરાબ પરિસ્થિતિના કારણે સમગ્ર દેશમાં લાંબા સમય સુધી સરકાર દ્વારા લોકડાઉન્ન કરવામાં આવ્યું હતું. લાંબા સમયના લોકડાઉન્ન બાદ સરકાર અને પબ્લિકને આર્થિક રીતે મોટો ફટકો પડયો છે. જેના કારણે સરકારને અનલૉક કરવાની ફરજ પડી હતી.

લોકડાઉન્ન લીધે રાજ્યના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.વેપાર-ધંધા ઓને જે મોટો ફટકો પડયો છે તેમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં સામેલ છે. આ ઉદ્યોગો ને ફરી બેઠા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટમાં ટેક અવે સુવિધા હવે દસ વાગ્યા ની સમય મર્યાદા ને દૂર કરવામાં આવી રહી છે.

નવી માર્ગદર્શિકા મુજબ આપણે વાત કરીએ તો હવે લોકો હોટલ રેસ્ટોરન્ટ માંથી રાતના 10 વાગ્યા પછી પણ ભોજન ઘરે મંગાવી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં માત્ર 10 વાગ્યા સુધી જ રેસ્ટોરન્ટ ની સુવિધા આપી શકતા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દરમ્યાન રેડ ઝોન વિસ્તારોમાં લોકડાઉન્ન 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે સમગ્ર દેશભરમાં અને ગુજરાત રાજ્યમાં કોરોના નો કહેર હાલમાં યથાવત છે. સરકારે લીધેલા નિર્ણય અનુસાર રેડ ઝોનમાં કોઈ પણ જાત ની છૂટ આપવામાં આવશે નહીં.અન્ય વિસ્તારોમાં અનલૉક દરમિયાન છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ તે જ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા વધારે આવી છે. આ પછી તે વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

Be the first to comment on "લોકડાઉન ને લઈને આવ્યા મહત્વના સમાચાર, રાજ્યના આ વિસ્તારમાં 31 ઓગસ્ટ સુધી….."

Leave a comment

Your email address will not be published.


*