મહંતની પુત્રવધુએ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, પુત્રવધુએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

Published on: 3:33 pm, Wed, 11 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારના રોજ એક મહંતની પુત્રવધુનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. જ્યારે સવારે ઘરની નોકરાણી આવી ત્યારે તેણે આ ઘટનાની જાણ થઈ હતી.

ત્યારબાદ નોકરાણીએ આ ઘટનાની જાણ પડોશીઓને કરી અને પડોશીઓએ તાત્કાલિક મહિલાને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. આ ઘટના જયપુરની છે. મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ગોવિંદ દેવ મંદિરના મહંત અર્જુન કુમાર ગોસ્વામીની પુત્રવધુનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ અર્જુન ગોસ્વામી અને તેમનો પુત્ર માનસ ગોસ્વામી પૂજા કરવા માટે ગયા હતા. મળતી માહિતી અનુસાર સવારે છ વાગ્યાની આસપાસ ઘરની સફાઈ કરતી નોકરાણી ઘરે આવી હતી.

ત્યારે નોકરાણી મહંતની પુત્રવધુ નિવેદીતાનો રૂમનો દરવાજો સફાઈ કરવા માટે ખખડાવ્યો. પરંતુ અંદરથી કંઈ જવાબ મળ્યો નહીં. તેથી મહિલાને થોડીક શંકા ગઈ અને તેને ઘરની બીજી નોકરાણીને ત્યાં બોલાવી હતી. ત્યારબાદ બંને બારીમાંથી જોયું ત્યારે નિવેદીતાનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યું હતું.

ત્યારબાદ નોકરાણીઓ એ આ ઘટનાની જાણ પડોશીઓને કરી હતી. પડોશીઓએ રૂમનો દરવાજો તોડીને નિવેદીતાને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ઉપરાંત આ ઘટનાની મહંત અને તેમના પુત્રને પણ કરી દીધી હતી. ઘટનાની જાણ થતા તેઓએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.

પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે નિવેદીતાને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસને તપાસ દરમિયાન નિવેદીતાના રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે લખ્યું હતું કે, કોઈની વિરોધ કાર્યવાહી ન કરવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહંતની પુત્રવધુએ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, પુત્રવધુએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*