આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો ચહેરા કર્યો જાહેર,આ નામ પર લગાવી મહોર

Published on: 8:29 pm, Fri, 4 November 22

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈશુદાન ગઢવી ના નામ ઉપર મિત્રો મહોર મારી છે અને પત્રકાર પરિષદ દરમિયાન ના નામની ઘોષણા કરવામાં આવી હતી અને ગુજરાતના પ્રવાસના પહેલા દિવસે એટલે કે 4 નવેમ્બરે અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ના મુખ્યમંત્રી પદની જાહેરાત કરી છે.

પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું કે અમે ગુજરાતની જનતાનો મત જાણીને સુદાન ગઢવી ના નામ ઉપર પસંદગી કરી છે અને ઈશુદાન ગઢવી ના નામની જાહેરાત બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવત માનથી માંડીને ગોપાલ ઇટાલિયા તેમજ આપ ના કાર્યકર્તાઓએ ઈશુદાનને અભિનંદન પાઠવ્યા હતા.

અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું કે અમે નાગરિકોને સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર માટે મત વ્યક્ત કરવા માટે જણાવ્યું હતું કે ત્યારે અમારા ફોનમાં કુલ 73 ટકા લોકોએ ઈશુદાન ગઢવી નું નામ પસંદ કર્યું છે. આથી અમે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના પદ ચેહરા તરીકે ઇસુદાન ગઢવીના નામ પર મહોર મારીએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો ચહેરા કર્યો જાહેર,આ નામ પર લગાવી મહોર"

Leave a comment

Your email address will not be published.


*