લ્યો બોલો હવે શું કરશે આ ભાઈ..? દેવાયત ખવડ માટે આવ્યા મુશ્કેલીના સમાચાર, હવે શિવરાત્રીમાં પણ દેવાયત ખવડને…

Published on: 3:55 pm, Wed, 15 February 23

હંમેશા ચર્ચામાં રહેનાર એવા ગુજરાતી લોક સાહિત્યકાર દેવાયત ખવડને તો તમે જરૂર ઓળખતા હશો. ગયા વર્ષે દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મળીને રાજકોટમાં મયુરસિંહરાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. મયુરસિંહરાણા પર જીવલેણ પ્રહારના કેસમાં સંડોવાયેલ લોક સાહિત્યકાર દેવાયત ખવડે લગભગ બે-ત્રણ દિવસ પહેલા સેશન કોર્ટમાં વચગાળાની જામીન માટે અરજી કરી હતી.

પરંતુ સેશન્સ કોર્ટે દેવાયત ખવડની વચગાળાની જામીનની અરજીને ફગાવી દીધી હતી. શિવરાત્રી અને લગ્નમાં સ્ટેજ ઉપર પ્રોગ્રામ માટે દેવાયત ખવડ 25 દિવસની જામીનની અરજી કરી હતી. આ દરમિયાન સરકારી વકીલ અને દેવાયત ખવડના વકીલ દ્વારા સામ સામે દલીલો કરવામાં આવી હતી.

ત્યારબાદ કોર્ટ દેવાયત ખવડની વચગાળાની જામીનની અરજીના મંજૂર કરી હતી. અરજી ના મંજૂર થયા બાદ દેવાયત ખવડના વકીલ દ્વારા વચગાળાના 20 દિવસની જામીન માટેની ફરી એક વખત અરજી કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત દેવાયત ખવડની જામીનની અરજી નામંજૂર કરવામાં આવી છે.

એનો મતલબ એમ કે હવે દેવાયત ખવડને શિવરાત્રીમાં પણ જેલમાં રહેવું પડશે. લગભગ 50 દિવસ કરતાં પણ વધારે સમય જેલમાં બંધ દેવાયત ખવડની જામીનની અરજી કોર્ટ દ્વારા રેગ્યુલર નામંજૂર કરવામાં આવી રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે દેવાયત ખવડને જામીન મળે છે કે નહીં.

દેવાયત ખવડ ગત સાત ડિસેમ્બર 2022 ના રોજ મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. ત્યારબાદ દેવાયત ખવડ પોતાના બે સાથીદારો સાથે ફરાર થઈ ગયા હતા. થોડાક દિવસો બાદ મુશ્કેલીઓ વધતા દેવાયત ખવડ અને તેમના સાથીદારો સામેથી પોલીસ સમક્ષ રજૂ થઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લ્યો બોલો હવે શું કરશે આ ભાઈ..? દેવાયત ખવડ માટે આવ્યા મુશ્કેલીના સમાચાર, હવે શિવરાત્રીમાં પણ દેવાયત ખવડને…"

Leave a comment

Your email address will not be published.


*