મૃત્યુ પામેલી માસુમ દિકરી ધૈર્યા વિશે વાત કરતા કરતા ગુજરાતના મશહૂર અશ્વિન જોશી રડી પડ્યા, કહ્યું કે “ફુલ જેવી દીકરીનો જીવ લેવાનો એક બાપનો જીવ…જુઓ વિડિયો

Published on: 5:53 pm, Thu, 20 October 22

મિત્રો ગુજરાતમાં થોડા દિવસ પહેલા ગીર સોમનાથના તાલાલા તાલુકાના ધાવા ગામમાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. આ ઘટનામાં એક બાપે પોતાના મોટાભાઈ સાથે મળીને પોતાની 14 વર્ષની માસુમ દીકરીનો જીવ લઈ લીધો હતો. પિતાએ પોતાની 14 વર્ષની માસુમ દીકરીને ખૂબ જ દર્દનાક મૃત્યુ આપ્યું હતું.

દીકરીને એવું દર્દનાક મૃત્યુ મળ્યું છે કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. મિત્રો તમને જણાવી દઈએ કે દીકરીના શરીરમાં જીવડા પડી ગયા હતા છતાં પણ તેના બાપને તેના ઉપર જરાક પણ દયા આવી ન હતી. એક બાતે પોતાની દીકરીને તડપાવી તડપાવીને દર્દનાક મૃત્યુ આપ્યું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીકરીનેના અપાવવા માટે ગીર સોમનાથના દરેક સમાજના લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. હજુ પણ આ કેસને લઈને ઘણા બધા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ છે.

ત્યારે હાલમાં ગુજરાતની અંદર એક કાર્યક્રમમાં મશહુર એવા અશ્વિનભાઈ જોશી દીકરી ધૈર્યાના કેસની વાત કરતા કરતા રડી પડ્યા હતા. જ્યારે અશ્વિનભાઈ કાર્યક્રમમાં દીકરી ધૈર્યાના કેસની વાત કરી ત્યાં હાજર તમામ લોકો પણ રડી પડ્યા હતા. ધૈર્યાને લઈને અશ્વિન જોશીએ કહ્યું હતું કે, માસુમ ફૂલ જેવી દીકરીનો જીવ લેવાનો એક બાપમાં જીવ કેવી રીતે ચાલ્યો હશે.

એટલી વાત કહેતા જ તેઓ બોલતા બોલતા જ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેઓ કહી રહ્યા છે કે દીકરી સામે આવા અત્યાચાર શા માટે થઈ રહ્યા છે. આટલી જ વાત કહેતા તેઓ રડી પડ્યા હતા.

હાલમાં તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો કે દીકરીનો જીવ લેનાર તેના બાપ અને તેના મોટા બાપુજી સાથે શું કરવું જોઈએ અને તેને શું સજા થવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મૃત્યુ પામેલી માસુમ દિકરી ધૈર્યા વિશે વાત કરતા કરતા ગુજરાતના મશહૂર અશ્વિન જોશી રડી પડ્યા, કહ્યું કે “ફુલ જેવી દીકરીનો જીવ લેવાનો એક બાપનો જીવ…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*