રાજકોટમાં બહેનના લગ્નમાં ભાઈનું અચાનક જ કરુણ મોત, 4 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી… લગ્નની ખુશીમાં માતમ છવાયો…

Published on: 10:48 am, Thu, 8 February 24

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હૃદય બેસી જવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, રાજકોટમાં શીતલ પાર્કમાં રહેતા 35 વર્ષના રણજીતભાઈ બચુભાઈ રાઠોડ તેમના માંગરોળ ગામમાં રહેતા કાકા રતિભાઈ ચનાભાઈ રાઠોડના ઘરે તેમની દીકરી કોમળના લગ્નમાં ગયા હતા. લગ્નમાં જુનાગઢ થી જાન આવી હતી અને રાત્રે જમણવાર બાદ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.

આ દરમિયાન રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ અચાનક જ રણજીતભાઈને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો અને પછી તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. રણજીતભાઈનું મોત થતા જ એક દીકરાને ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જાણવા મળી રહ્યું છે કે લગ્નમાં વિદાય વખતે આ ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "રાજકોટમાં બહેનના લગ્નમાં ભાઈનું અચાનક જ કરુણ મોત, 4 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી… લગ્નની ખુશીમાં માતમ છવાયો…"

Leave a comment

Your email address will not be published.


*