શું દેવાયત ખવડ ને જામીન મળવી જોઈએ..? શિવરાત્રીમાં સ્ટેજ કાર્યક્રમ હોવાથી દેવાયત ખવડે 25 દિવસના વચગાળા જામીનની અરજી કરી… તમે જ કહો જામીન મળવી જોઈએ કે નહીં…

Published on: 5:22 pm, Fri, 10 February 23

મિત્રો તમે બધા હંમેશા ચર્ચામાં રહેનાર ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડને તો જરૂર ઓળખતા હશો. દેવાયત ખવડ ગત ડિસેમ્બર મહિનામાં પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ દેવાયત ખવડને જેલમાં જવાનો વારો આવ્યો હતો.

ત્યારે હાલમાં ફરી એક વખત દેવાયત ખવડને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મયુરસિંહ રાણા ઉપર જીવલેણ પ્રહાર કરનાર લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચગાળાની જામીન માટે અરજી કરી છે. મળતી માહિતી અનુસાર 25 દિવસના વચગાળાના જામીન આપવા માટે દેવાયત ખવડે કોર્ટમાં અરજી કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે શિવરાત્રી અને લગ્ન પ્રસંગમાં સ્ટેજ પરના કાર્યક્રમ હોવાના કારણે દેવાયત ખવડ દ્વારા વચગાળાની જામીન માટેની અરજી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર દેવાયત ખવડ દ્વારા લગ્ન પ્રસંગ તેમજ શિવરાત્રીના કાર્યક્રમો અગાઉ બુક કરવામાં આવ્યા હતા. જે પૈકી ઘણા કાર્યક્રમો દેવાયત ખવડ એડવાન્સ રકમ લઈને બુક કર્યા હતા.

એડવાન્સ રકમ લઈને કાર્યક્રમ રદ થઈ શકે તેમ નથી. આ ઉપરાંત જો કાર્યક્રમ રદ કરવામાં આવે તો જેલવાસના કારણે દેવાયત ખવડ એ પૈસા પાછા આપી શકે તેવી આર્થિક પરિસ્થિતિમાં નથી. આ કારણોસર દેવાયત ખવડ દ્વારા 25 દિવસના વચગાળાની જામીન માટેની અરજી મૂકવામાં આવી છે.

હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે રાજકોટ શહેરનાએ ડિવિઝન પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ કયા પ્રકારનો અભિપ્રાય રજૂ કરવામાં આવે છે. પોલીસના અભિપ્રાયના આધારે કોર્ટ પોતાનો નિર્ણય જાહેર કરશે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે દેવાયત ખવડ અને જામીન મળે છે કે નહીં.

જો દેવાયત ખવડને જામીન મળી તો તે ફરી એક વખત સ્ટેજ પર જોવા મળશે કે નહીં તે પણ હવે આગામી દિવસોમાં આજે જોવા મળશે. મિત્રો દેવાયત ખવડની વચગાળા જામીન ને લઈને તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો. શું દેવાયત ખવડને જામીન મળવી જોઈએ તે પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શું દેવાયત ખવડ ને જામીન મળવી જોઈએ..? શિવરાત્રીમાં સ્ટેજ કાર્યક્રમ હોવાથી દેવાયત ખવડે 25 દિવસના વચગાળા જામીનની અરજી કરી… તમે જ કહો જામીન મળવી જોઈએ કે નહીં…"

Leave a comment

Your email address will not be published.


*