ભારતમાં ઓમિકોન ની એન્ટ્રી બાદ રાજ્યના આ શહેરમાં લાગુ કરાઈ કલમ 144

Published on: 10:29 am, Wed, 8 December 21

ભારત સહિત દુનિયાભરમાં કોરોનાવાયરસ ના નવા વેરીયન્ટે હાહાકાર મચાવ્યો છે. નવા વર્ષની ઉજવણી ક્રિસમસ પર પ્રવેશ પરીક્ષાઓ અને તહેવારની સ્થિતિને જોતા લખનઉના સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 7 ડીસેમ્બર થી આગામી 5 જાન્યુઆરી 2022 સુધી આ કડક નિયમ લખનઉમાં લાગુ થશે. છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસમાં ઉછાળો નોંધાયો છે તો સમગ્ર દેશમાં આ નવા ઓમીક્રોન ની દહેશત પણ જોવા મળી રહી છે.

ખેડૂત સંગઠનો અને સંભવિત ધરણા પ્રદર્શન ની આશંકાને પગલે પણ તંત્ર સફાળું એક્શનમાં આવ્યુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.વહીવટી તંત્ર અનુસાર વિધાનસભા ની આસપાસ ધરણા પ્રદર્શન અથવા વાહન સાથેના પ્રદર્શનને કલમ 144 નું ઉલ્લંધન માનવામાં આવશે.

કન્ટેનમેન્ટ ઝોનને છોડીને ધર્મસ્થળો પર 50 થી વધુ લોકો એકઠા નહીં થઈ શકે.તો બંધ સ્થળો પર એક સમયે 100 થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.કલમ 144 દરમિયાન જીવન જરૂરી સેવાઓ પર છૂટછાટ રહેશે. આરોગ્ય સેવાઓ નિયમિત રીતે યથાવત રહેશે.

આ સિવાય કોઈ ઇમર્જન્સી થવા પર પૂર્વ પરમિશન પર આવન જાવનમાં છૂટછાટ મળશે. સાથે પોલીસ તંત્ર દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવાનો આદેશ આપવામાં આવ્યો છે અને નાગરિકોને સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારતમાં ઓમિકોન ની એન્ટ્રી બાદ રાજ્યના આ શહેરમાં લાગુ કરાઈ કલમ 144"

Leave a comment

Your email address will not be published.


*