અયોધ્યા માં રામલલાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર યોગીરાજ હવે બનાવશે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ મૂર્તિ,જાણો આ મૂર્તિ ને કઈ જગ્યાએ મુકાશે?

Published on: 10:55 am, Wed, 31 January 24

અયોધ્યા નગરીમાં ભગવાન શ્રીરામની મૂર્તિ ને આકાર આપનાર શિલ્પરાજ યોગીરાજ હવે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણના વિશાળ સ્વરૂપને સાક્ષાતકાર કરશે. જેમાં મહાભારત દરમિયાન અર્જુન સાથેના સંવાદમાં ભગવાન શ્રીકૃષ્ણનું જે વિશાળ સ્વરૂપ બતાવવામાં આવશે. આમાં અર્જુન અને ચાર ઘોડા સાથેનો રથ પણ મિત્રો જોવા મળશે.

ભગવાન શ્રી રામની મૂર્તિની તર્જ પર આ મૂર્તિ પર નેપાળની ગડક નદીમાંથી કાઢવામાં આવેલા શાલીગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવશે અને બ્રહ્મ સરોવરના પૂર્વ કિનારે નિમાણાધીન 18 માળના જ્ઞાનમંદિર ના ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની આ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે જે ધર્મનગરીને વિશેષ ઓળખ આપે છે અને એશિયામાં સર્વોચ્ચ માનવામાં આવે છે.

મિત્રો શ્રી બ્રહ્મપુરી અન્ન ક્ષેત્રના ટ્રસ્ટ જ્ઞાનમંદિરના સ્થાપક એવા સ્વામી ચિરંજીવીપૂરી મહારાજ કહે છે કે ત્રણ એકર જેટલી જમીનમાં આ 18 માળનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે જેમાં અર્જુનને સંદેશ આપતા ભગવાન શ્રીકૃષ્ણનું વિશાળ સ્વરૂપ આ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે જેના માટે શિલ્પકાર અરુણ યોગીરાજ સાથે ચર્ચા કરવામાં આવી છે

ને આ માટે ટ્રસ્ટ એક પ્લાન પણ તૈયાર કર્યો છે અને ટૂંક જ સમયમાં પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ મંદિરની મુલાકાત પણ લેશે.શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા આ પ્રતિમા બનાવવાના પ્રસ્તાવને સ્વીકાર્યા બાદ ટ્રસ્ટ નેપાળનો પણ સંપર્ક કરી રહ્યો છે જેથી આ ખાસ શાલીગ્રામ પથ્થરને ત્યાં લાવી શકાય અને હાલમાં મંદિરનું કામ શરૂ છે ને લગભગ 50% થી પણ વધારે કામ પૂર્ણ

થઈ ગયું છે ત્યારે અરુણ યોગીરાજ અહીં પહોંચ્યા પછી જ નક્કી થશે કે મૂર્તિને પૂર્ણ કરવામાં કેટલો સમય અને તેનું કદ કેટલું હશે.દોસ્તો જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજ કર્ણાટકના મૈસુરના રહેવાસી છે અને તેઓએ સુભાષચંદ્ર બોઝની 30 ફૂટની પ્રતિમા પણ બનાવી છે અને જે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી એ નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિની પાછળની છત્રીમાં સ્થાપિત કરવામાં આવી હતી અને યોગીરાજ કેદારનાથમાં આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમા પણ બનાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અયોધ્યા માં રામલલાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર યોગીરાજ હવે બનાવશે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ મૂર્તિ,જાણો આ મૂર્તિ ને કઈ જગ્યાએ મુકાશે?"

Leave a comment

Your email address will not be published.


*