રાજ્યમાં 15 ઓક્ટોબર થી ચાલુ થશે શાળાઓ, શાળાએ જવા ફરજિયાત પણે આ નિયમોનું કરવું પડશે પાલન

Published on: 3:33 pm, Sat, 3 October 20

કેન્દ્રીય ગૃહ મંત્રાલય 30 સપ્ટેમ્બરના રોજ અનલૉક 5 ની માર્ગદર્શીકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા માં શાળાઓ ચાલુ કરવા અંદર ઓક્ટોબર બાદ જે તે રાજ્યની જવાબદારી કેન્દ્ર દ્વારા સોંપવામાં આવી. આ પછી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોમાં શાળાઓ ખોલવાની તૈયારી શરૂ કરવામાં આવી છે અને સરકારે આ અંગે કડક માર્ગદર્શિકા બનાવી છે.આ માર્ગદર્શિકા હેઠળ.

શાળામાં આવવા અંગે વિદ્યાર્થી પર કોઈપણ જાતનું શાળા દ્વારા દબાણ કરવામાં નહીં આવે. શાળાએ આવવા માટે ઈચ્છતા વિદ્યાર્થીઓએ વાલીઓની લેખિત પરવાનગી પણ લાવવાની રહેશે. આ ઉપરાંત શાળાઓ દ્વારા અગાઉની જેમ ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવામાં આવશે. એટલુ જ નહી કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે,15 ઓક્ટોબરથી શાળાઓ ખોલવી છે કે નથી.

તેનો નિર્ણય રાજ્ય સરકાર પોતાના રાજ્યની સ્થિતિ અને સજ્જતા અનુસાર લેશે.સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે,શાળા-કોલેજો અથવા શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થવા.

રાજ્ય સરકાર અને પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં આવેલી એસ.ઓ.પી નું પાલન ફરજિયાત પણે કરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં 15 ઓક્ટોબર થી ચાલુ થશે શાળાઓ, શાળાએ જવા ફરજિયાત પણે આ નિયમોનું કરવું પડશે પાલન"

Leave a comment

Your email address will not be published.


*