સુરેન્દ્રનગરમાં 3 બાળકોના પિતા હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ નિધન… બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાત રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં ઘણા લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગરમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. સુરેન્દ્રનગરના લખતરના મફતીયા પરામાં રહેતા 32 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા યુવકના પરિવારજનો અને આસપાસના લોકોમાં માતમ છવાયો હતો.

મૃત્યુ પામેલા યુવકનું નામ સુરેશ હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. સુરેશને રાત્રિના સમયે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. એટલે તેને સારવાર માટે લખતરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સુરેશનું મોત થયું હતું. યુવકનું મોત થતા જ 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાયો છે. સતત વધતી જતી હાર્ટ એટેકની કારણે ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે, ગઈકાલે અંકલેશ્વરમાં 10 વર્ષની માસુમ બાળકીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*