બાઈક લઈને જઈ રહેલા નિવૃત આર્મીમેનને રસ્તામાં નડ્યો અકસ્માત, આર્મીમેનનું કરૂણ મૃત્યુ…

Published on: 11:43 am, Wed, 27 April 22

ગુજરાત રાજ્ય છેલ્લા થોડાક દિવસ સુધી અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. અત્યાર સુધીમાં કેટલાય નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે મહેસાણા તાલુકાના નાનીદાઉ ગામના નિવૃત્ત આર્મીમેનને મંગળવારના રોજ બપોરે મોટીદાઉ ગામના પાટિયા પાસે અકસ્માત નડયો હતો.

આ ઘટનામાં તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મોટીદાઉ ગામના પાટિયા પાસે બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 52 વર્ષીય પ્રહલાદજી શંકરજી વાઘેલાનું કરૂણ મૃત્યુ થયું હતું પ્રહલાદજી એક નિવૃત આર્મીમેન હતા.

આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ રેલ્વેમાં ગેટમેન તરીકે ફરજ બજાવતા હતા. મળતી માહિતી મુજબ પ્રહલાદજી મંગળવારના રોજ બપોરે 12.30 વાગ્યાની આસપાસ પોતાની GJ 02 BR 1205 નંબરની બાઈક લઈને મોટીદાઉ પાટિયાથી ગામ તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન તેમને અચાનક બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક સ્લીપ ખાઇ ગઇ હતી. આ કારણોસર પ્રહલાદજી જમીન પર પટકાયા હતા. જેથી પ્રહલાદજી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બન્યા બાદ આસપાસના લોકો દ્વારા પ્રહલાદજીને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે પ્રહલાદજીને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા મહેસાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. પ્રહલાદજીના મૃત્યુના કારણે પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઈક લઈને જઈ રહેલા નિવૃત આર્મીમેનને રસ્તામાં નડ્યો અકસ્માત, આર્મીમેનનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*