રાજકોટના બિલ્ડર જયેશભાઈ ઝાલાવાડીયાને હાર્ટ એટેક આવતા કરુણ મોત… પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું…

ગુજરાતમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવે સમગ્ર ગુજરાતની જનતાને ચિંતામાં મૂકી દીધી છે. મિત્રો જાણવા મળી રહ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવ લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે.

જેમાં નવરાત્રિમાં ગરબા રમતા રમતા ત્રણ લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. હાર્ટ એટેકના સૌથી વધારે બનાવ સુરત અને રાજકોટ શહેરમાં બની રહ્યા છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેક આવવાના કારણે બે લોકોના મોત થયા છે.

વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરના રિયા રોડ ઉપર આવેલ અમૃતપાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડરનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા બિલ્ડરનું નામ જયેશભાઈ ઝાલાવાડીયા હતું અને તેમની ઉંમર 44 વર્ષની હતી. જયેશભાઈ પોતાના નિવાસ્થાને સવારે સાત વાગ્યાની આસપાસ અચાનક જ બેભાન થઈ ગયા હતા.

આ ઘટના બનતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા અને જયેશભાઈને તાત્કાલિક સારવાર માટે બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જયેશભાઈ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર જયેશભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ વાતના સમાચાર મળતા જ જયેશભાઈના પરિવારજનો અને મિત્ર મંડળમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*