જલ્દીથી ચરબી ઘટાડવા માટે તૈયાર કરો આ આયુર્વેદિક પીણું,ખાલી પેટે કરવું પડશે સેવન

Published on: 4:31 pm, Mon, 5 July 21

લીંબુ-ગોળનું પીણું કેવી રીતે તૈયાર કરવું?
1.એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી ગોળ મિક્સ કરો.
2.હવે તેને બરાબર મિક્સ કરો અને તેમાં એક ચમચી લીંબુનો રસ નાખો.
3.એકવાર બંનેને મિક્સ કર્યા પછી તમારું પીણું તૈયાર થઈ જશે.
4.ખાલી પેટે આ પીણાંનું સેવન કરવું.

જાણો મિશ્રણ કેવી રીતે કામ કરે છે?
જાણીતા આયુર્વેદિક ડોક્ટર અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર, ગોળ ચયાપચય વધારવામાં મદદ કરે છે, જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. પ્રોટીન અને ફાઈબર ગોળમાં પણ જોવા મળે છે. વજન ઘટાડવાની યાત્રામાં બંને પોષક તત્વો સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

લીંબુ વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે
ડો.અબરાર મુલ્તાનીએ જણાવ્યું હતું કે લીંબુ શરીરને સાફ કરે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયામાં વધારો કરે છે લીંબુમાં મળતા પોલિફેનોલ એન્ટી-ઓક્સિડેન્ટ્સ વજનને અસરકારક રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ એન્ટી ઓક્સિડેન્ટ્સ શરીરમાં ચરબીનો સંચય અટકાવવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. ગોળ અને લીંબુ પાચક અને શ્વસન પ્રણાલીને સાફ રાખવામાં મદદ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જલ્દીથી ચરબી ઘટાડવા માટે તૈયાર કરો આ આયુર્વેદિક પીણું,ખાલી પેટે કરવું પડશે સેવન"

Leave a comment

Your email address will not be published.


*